વિસરાતી વાતો

મુંબઈ ભારતની આર્થિક રાજધાની કેવી રીતે બન્યું?

મુંબઈ ભારતની આર્થિક રાજધાની તરીકે ભારતનું સૌથી મહત્વપૂર્ણ શહેર ગણાય છે. આજે આ શહેર લાખો લોકો માટે સ્વપ્નનગરી બન્યું છે.

એક જમાનામાં, મુંબઈ એટલે સાત છૂટાછવાયા ટાપુઓનો સમૂહ. સાડા ત્રણસો વર્ષ પહેલાં મુખ્યત્વે માછીમાર-કોળીઓની વસ્તી ધરાવતા પછાત ટાપુઓ એક આધુનિક શહેરમાં પલટાય તે ચમત્કાર જ ને! મૌર્ય શાસકો અને ગુજરાતના રાજ્યકર્તાઓથી લઈને મરાઠા અને અંગ્રેજ શાસનકર્તાઓએ તેના ઇતિહાસને સજાવ્યો છે.

સ્વપ્નનગરી મુંબઈના વિકાસની કહાણી રંગીન પણ છે, દિલચશ્પ પણ.

‘અનુપમા’ના આજના લેખમાં આપણે મુંબઈના આર્થિક વિકાસની રૂપરેખા પર નજર નાખીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

આપબળે અગ્રણી હોટેલિયર બન્યા એમ એસ ઓબેરોય – ભારતમાં લક્ઝરી હોટેલ ઉદ્યોગના મહારથી

વીસમી સદીના આરંભે વિશ્વ ફલક પર બ્રિટીશ હિંદુસ્તાનના હોટેલ ઉદ્યોગનું કોઈ નામ ન હતું, દેશની ગણીગાંઠી હોટેલો જાણે વિદેશીઓ અને અંગ્રેજોની મહેરબાની ભોગવતા અતિ શ્રીમંત હિંદુસ્તાનીઓ માટે જ ચાલતી હતી. આવા જમાનામાં બે હિંદુસ્તાનીઓએ પોત પોતાની હોટેલ ઊભી કરવા હિંમત કરી અને ભારતીય હોટેલ ઉદ્યોગનો પાયો નાખ્યો. પ્રથમ, વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ જમશેદજી ટાટા અને બીજા, અવ્વલ હોટેલિયર મોહન સિંઘ ઓબેરોય. બંને મહાનુભાવો પાસે વ્યવસાય માટે બેનમૂન કુનેહ અને અમાપ દીર્ઘદર્શિતા હતાં. જમશેદજી ટાટાના ટાટા ગ્રુપની હોસ્પિટાલિટી કંપની ‘ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ – આઇએચસીએલ તરીકે તથા મોહન સિંઘ ઓબેરોયની કંપની ઇસ્ટ ઇન્ડિયા હોટેલ્સ લિમિટેડ –  ઇઆઇએચએલ EIHL – (ઓબેરોય ગ્રુપ ઑફ હોટેલ્સ) ભારતીય હોટેલ ઉદ્યોગની અગ્રિમ લક્ઝરી હોટેલ શૃંખલાઓ તરીકે પ્રસિદ્ધિ પામી છે. એમ એસ ઓબેરોય તરીકે જાણીતા રાય બહાદુર મોહન સિંઘ ઓબેરોય પંજાબના એક નાનકડા ગામમાં જન્મ્યા અને આપબળે ભારતના અગ્રણી ઓબેરોય લક્ઝરી હોટેલ ચેઇનના મહારથી બન્યા.

‘અનુપમા’ના આજના લેખમાં આપણે રાય બહાદુર મોહન સિંઘ ઓબેરોયની અવિરત  સંઘર્ષ ભરી જીવન ગાથા પર નજર નાખીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

પ્રકીર્ણ · સમાચાર

‘અનુપમા’ પર 2019નાં સ્મરણો

  પ્રિય વાચકમિત્રો! નમસ્કાર! વર્ષ 2019માં આપે ‘અનુપમા’ પર માણેલા વિવિધ વિષયો પરના કેટલાક યાદગાર લેખોના સંક્ષેપ પર એક નજર… સંપૂર્ણ લેખ વાંચવા આપ લિંક પર ક્લિક કરશો. *** * * ** * *** ** ** અનુપમા લેખ: ભારતીય ક્રિકેટના વિક્રમસર્જક મહારથીઓ: વિજય મર્ચન્ટ અને વિજય હઝારે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વિજય મર્ચન્ટ અને વિજય હઝારે… Continue reading ‘અનુપમા’ પર 2019નાં સ્મરણો

વિસરાતી વાતો

ભારતીય ક્રિકેટના વિક્રમસર્જક મહારથીઓ: વિજય મર્ચન્ટ અને વિજય હઝારે

ભારતીય ક્રિકેટના મહારથીઓની યાદી સી. કે. નાયડુથી શરૂ થાય, તેમાં અનેક નામો ઉમેરાતાં જાય અને તે વર્તમાનમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સુધી લંબાય. વળી તેમાં રણજીતસિંહજી અને દુલિપસિંહજીને પણ સ્થાન મળે; ભલે રમ્યા ઇંગ્લેન્ડમાં પણ હતા તો ભારતીય! ભારતીય ટેસ્ટ ટીમના સર્વ પ્રથમ કેપ્ટન સી કે નાયડુ ભારતના મહાનતમ ક્રિકેટરોમાં એક હતા. તેમની વાત ક્યારેક કરવી છે.

આજે ક્રિકેટના બે સિતારા વિજય મર્ચન્ટ અને વિજય હઝારેની વાત કરીએ. સી કે નાયડુની ટૂંકી ટેસ્ટ કારકિર્દી પછી મર્ચંટ અને હઝારે – બંને ખેલાડીઓએ ક્રિકેટ જગતમાં ભારતનું નામ ગુંજતું રાખ્યું. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં વિશ્વભરના ક્રિકેટરોમાં બેટિંગ એવરેજમાં સર્વ પ્રથમ ઑસ્ટ્રેલિયાના સર ડૉન બ્રેડમેન આવે; તે પછી બીજા નંબરે ભારતના વિજય મર્ચંટ આવે તે વાત બહુ ઓછા જાણે છે. ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,000 રનથી વધુ રન કરનાર ખેલાડીઓની બેટિંગ એવરેજમાં વિજય મર્ચન્ટ પ્રથમ સ્થાને છે; માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ તેમની પાછળ છે.

આવો, ‘અનુપમા’ના આજના લેખમાં એક જમાનામાં ભારતીય ક્રિકેટના મહારથી રહેલા વિજય મર્ચન્ટ તથા વિજય હઝારેની ઝમકદાર કારકિર્દીની જાણી-અજાણી વાતોને યાદ કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

મુંબઈનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ – ડૉક્ટર ભાઉ દાજી લાડ મ્યુઝિયમ

મુંબઈના ભાયખલા વિસ્તારમાં શહેરનું સૌ પ્રથમ અને દેશનું ચોથું મ્યુઝિયમ આવેલું છે. હાલ ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ’ તરીકે જાણીતું આ મ્યુઝિયમ અગાઉ ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’ તરીકે ઓળખાતું હતું. ભાયખલાના જિજામાતા ઉદ્યાન (અગાઉ વિક્ટોરિયા ગાર્ડન્સ કે રાણી બાગ) માં સ્થિત મુંબઈનું સૌથી પ્રાચીન સંગ્રહાલય ‘ભાઉ દાજી લાડ મ્યુઝિયમ’ કલાના બેનમૂન નમૂનાઓ સાથે મુંબઈના ઇતિહાસને પ્રદર્શિત કરે છે.

આ મ્યુઝિયમનાં મૂળમાં મુંબઈના તત્કાલીન ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટન દ્વારા 1855માં સ્થપાયેલ ‘સેન્ટ્રલ મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી, ઇકોનોમી, જીઓલોજી, ઇન્ડસ્ટ્રી એન્ડ આર્ટ્સ’ હતું.

બ્રિટીશ અમલદારોના માર્ગદર્શનમાં 1872માં સ્થપાયેલ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમને માટે ફંડ ઊભું કરવામાં મુંબઈના અગ્રણી મહાજનો જગન્નાથ શંકરશેઠ, ડૉ ભાઉ દાજી લાડ, સર જમસેત્જી જીજીભોય (જમશેદજી જીજીભાઈ બેરોનેટ), ડેવિડ સાસુન વગેરેનો સહયોગ હતો.

ગોવામાં જન્મેલા અને મુંબઈમાં ઉછરેલા ડૉક્ટર ભાઉ દાજી લાડ ગ્રાન્ટ મેડિકલ કોલેજ (જીએમસી, બોમ્બે) ની પ્રારંભિક બેચના પદવીધારી ડૉક્ટર હતા. 1850માં મેડિસિનની ડિગ્રી મેળવી ડૉ ભાઉ દાજી લાડે 1851માં ફિઝિશિયન તરીકે તબીબી પ્રેક્ટિસ શરૂ કરી. તેમને શિક્ષણ અને આયુર્વિદિક સંશોધન ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતો, લખાણો, સિક્કાઓ આદિમાં ઊંડો રસ હતો. વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમની સ્થાપના અર્થે તેમણે અથાક પ્રયત્નો કર્યા હતા.

મુંબઈના આ મહાન સેવાભાવી ડોક્ટરની સેવાઓની કદર અર્થે 1975માં મુંબઈના સૌથી પહેલા સંગ્રહાલય વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનું નામ બદલીને ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ’ રાખવામાં આવ્યું.

વાચકમિત્રો! ‘અનુપમા’ના આજના લેખમાં ભાઉ દાજી લાડ મ્યુઝિયમ પર એક નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રણેતા હીરાલાલ સેન: બંગાળના અર્ધ-અજાણ્યા ફિલ્મ સર્જક

સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં નવા ચીલા ચાતરનાર ઘણા સર્જકોને યથોચિત પ્રસિદ્ધિ મળી નથી. ફિલ્મ ઉદ્યોગના વિકાસની ઘણી કડીઓ જળવાઈ નથી. પરિણામે મુવિ કેમેરા અને ચલચિત્ર નિર્માણની પ્રારંભિક ટેકનિક વિકસાવનાર કેટલાક શોધકો અને નિર્માતાઓ ગુમનામીમાં ગર્ત રહ્યા છે.

જે રીતે વિશ્વના સિનેમા ઉદ્યોગના ઉદયકાળે પાયાનું યોગદાન આપનાર એડવર્ડ માયબ્રિજ તથા લુઇ લિ પ્રિન્સ જોઈતી પ્રસિદ્ધિ ન પામી શક્યા, તે રીતે ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રારંભકાળે અમૂલ્ય ફાળો આપનાર હીરાલાલ સેન પણ ઉચિત શ્રેય અને યશ ન પામી શક્યા.

હીરાલાલ સેન (1866-1917) ભારતીય સિનેમાના એક સમર્થ પ્રણેતા અને સિદ્ધહસ્ત ફિલ્મ મેકર હતા. બ્રિટીશ રાજમાં બંગાળના કલકત્તા (કોલકતા) ના હીરાલાલ સેન હિંદુસ્તાનના ફિલ્મ ઇતિહાસમાં અનોખી કેડીઓ કંડારનાર હતા. હીરાલાલ સેનજીએ સ્ટેજ પરના ‘લાઇવ કાર્યક્રમ’ની દેશની પ્રથમ ફિલ્મ બનાવી અને ભારતની સૌ પ્રથમ ફિલ્મ કંપની ‘રોયલ બાયોસ્કોપ કંપની’ની સ્થાપના કરી. હીરાલાલ સેને ભારતની સૌ પહેલી રાજકીય દસ્તાવેજી ફિલ્મ (પોલિટિકલ ફિલ્મ) નું નિર્માણ કર્યું અને દેશની સર્વ પ્રથમ એડવટાઇઝિંગ ફિલ્મ સુપ્રસિદ્ધ ‘જબાકુસુમ’ હેર ઓઇલ માટે બનાવી.

ભારતના ફિલ્મ ઇતિહાસમાં દાદાસાહેબ ફાળકેને જે જ્વલંત પ્રતિષ્ઠા મળી છે, કદાચ તેવી પ્રસિદ્ધિના હકદાર હીરાલાલ સેન પણ બન્યા હોત. પણ રે ભાગ્યના ખેલ! આજે આપણી પાસે તેમની સર્જન કલાનો કોઈ પુરાવો બચ્યો નથી. 1917માં હીરાલાલ સેનની ફિલ્મ કંપની રોયલ બાયોસ્કોપ કંપનીના વેરહાઉસમાં લાગેલી આગની ઝપેટમાં તેમની ફિલ્મ કૃતિઓ રાખ બની ગઈ! આ દુ:ખદ ઘટના પછી બે જ દિવસમાં આ મહાન સર્જક દુનિયાને અલવિદા કહી ગયા!

‘અનુપમા’ના આજના લેખમાં ચલચિત્ર ઉદ્યોગના વિકાસના સંદર્ભમાં ભારતીય ફિલ્મ ઇતિહાસમાં હીરાલાલ સેનના યોગદાનને મૂલવીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિજ્ઞાન · સમાચાર

ક્લાઉડ ટેકનોલોજી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ

ઇન્ટરનેટ તથા કમ્પ્યુટિંગ ટેકનોલોજીના આશ્ચર્યજનક પ્રસાર સાથે વ્યાપાર-વાણિજ્ય-ઉદ્યોગ પણ રોકેટગતિથી વિકસવા લાગ્યાં છે.

વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર જ નહીં, દેશ દેશમાં આંતરિક વ્યાપાર પણ એટલો જ સ્પર્ધાત્મક બન્યો છે. ઇન્ડસ્ટ્રી અને કોમર્સ સામે નવી, ઇનોવેટિવ પ્રૉડક્ટ્સ અને સર્વિસિઝ માર્કેટમાં મૂકવાના પડકારો છે. માર્કેટ અને કન્ઝ્યુમર સેગ્મેન્ટ્સ વિશે તલસ્પર્શી માહિતી હોય તો જ બિઝનેસ ટકી શકે.

વ્યાપારી સંસ્થાઓ, ઉપભોક્તાઓ અને બજારનાં ઘટકો વચ્ચે સતત થતાં રહેતાં ઇન્ટરએક્શન્સ નિરંતર માહિતીનો જંગી ડેટા ઊભો કરે છે. આવા બિગ ડેટાને હેન્ડલ કરવા નાની મોટી કંપનીઓને અતિ ખર્ચાળ, હાઇ પાવર કમ્પ્યુટર સિસ્ટમ્સ અને આધુનિક સોફ્ટવેર્સ-એપ્લિકેશન્સ વસાવવાં પોસાય નહીં. અદ્યતન હાર્ડવેર – સોફ્ટવેર ખરીદીને વસાવવાં તો ખર્ચાળ છે જ, ઉપરાંત તેમને સાચવવા અને અપડેટ કરતાં રહેવા પણ ભારે ખર્ચાળ છે.

આવા મુદ્દાઓમાંથી ક્લાઉડ ટેકનોલોજીનો વિચાર ઉદભવ્યો છે. પરિણામે ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાઓ આપતી કંપનીઓ અસ્તિત્વમાં આવી છે. આવી ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીઓ પાસે હાઇ એન્ડ કમ્પ્યુટર–સર્વર સિસ્ટમ્સ હોય છે અને તમામ પ્રકારનાં સોફ્ટવેર-પ્રોગ્રામ્સ-એપ્લિકેશન્સ હોય છે. આમ, બિઝનેસ કંપનીઓને પોતાનાં હાર્ડવેર-સોફ્ટવેર વસાવવાની જરૂરત નથી રહેતી. તેમના ડેટા પ્રૉસેસિંગથી માંડી સ્ટોરેજ સુધીની કામગીરી માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની જ  સ્ટેટ ઑફ ધ આર્ટ હાર્ડવેર-સોફ્ટવેર પૂરાં પાડે છે.

‘અનુપમા’ના આજના લેખમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ વિષે જાણીએ અને ક્લાઉડ ટેકનોલોજી પર દ્રષ્ટિપાત કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

ભારતીય ટેસ્ટ ક્રિકેટના આરંભનો રોમાંચક ઇતિહાસ

ભારતમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય રમત રહી છે. અંગ્રેજ હકૂમતે ક્રિકેટનો ઉપયોગ કુનેહપૂર્વક પોતાના સ્વાર્થી હેતુઓ માટે કર્યો હતો તેમ કહેવું ખોટું નથી. ક્રિકેટની રમતમાં રસ લેનાર હિંદુસ્તાની પ્રજામાં બૉમ્બે (મુંબઈ) ની પારસી કોમ અગ્રેસર હતી. પારસી પ્રજા વ્યાપાર ઉદ્યોગમાં સફળ થઈ, સમાજમાં મોભાદાર બની, વળી  બ્રિટીશ રાજમાં વગદાર પણ બની. યુરોપિયનોના પ્રભાવ નીચે પરિવર્તન પામતાં મુંબઈમાં પારસીઓ પર અંગ્રેજી રહેણીકરણીની ગાઢી અસર પડી.

મુંબઈમાં પારસી ક્રિકેટ ક્લબ આંતરરાષ્ટ્રીય ધોરણે નામ કાઢનાર પ્રથમ હિંદુસ્તાની ક્રિકેટ ક્લબ હતી. પારસી ક્લબના પગલે બ્રિટીશ હિંદુસ્તાનમાં ક્રિકેટની રમત પ્રસાર પામી. બૉમ્બે પ્રેસિડેન્સી મેચોથી આગળ વધી ટ્રાઇએન્ગ્યુલર, ક્વોડ્રેન્ગ્યુલર અને પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ્સ યોજાતી થઈ તેનો ઉચિત શ્રેય પારસીઓને આપવો ઘટે. પ્રેસિડેંસી મેચ તથા ટ્રાઇએંગ્યુલર બૉમ્બે ટુર્નામેન્ટ્સ ભારતને ટેસ્ટ પ્રવેશ સુધી લઈ જવામાં મદદરૂપ બની. અંગ્રેજ શાસન નીચે હોવાથી સ્વાભાવિક રીતે ભારત તેની સૌ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે રમ્યું.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ પ્રવેશે ભારત 1932માં ઇંગ્લેન્ડમાં એક ટેસ્ટ મેચ રમ્યું. પછી 1933-34માં ઇંગ્લેંડ ભારતના પ્રવાસે આવ્યું અને ત્રણ ટેસ્ટ મેચો રમ્યું.

આવો, ‘અનુપમા’ના આજના લેખમાં ભારતના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના આરંભની રોમાંચક કહાણીઓ પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે ]

સમાચાર

ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓ

ભારતમાં ઊગતી પેઢી પાસે  અમાપ બુદ્ધિશક્તિ છે, પરંતુ તેઓની પ્રતિભાને નિખારવા દેશમાં આવશ્યક ઉદ્દીપનનો અભાવ છે. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા અને તે પછી કારકિર્દી વિકસાવવાની તકો દેશમાં પ્રોત્સાહક નથી બની રહી. હવે દેશની શિક્ષણવ્યવસ્થાની સમીક્ષા કરવાની જરૂર છે; શિક્ષણમાળખાને ઝકઝોરવાની જરૂર છે.

આપણી પાસે ઉત્તમ શિક્ષણસંસ્થાઓને ઑર વિકસાવવા નિષ્ઠાવાન શિક્ષકો છે. છતાં ક્યાંક શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા સેવાઈ રહી છે, નહીં તો ભારતમાં શિક્ષણનાં સ્તર ઊંચાં ન આવે તેવું બને?

ભારતમાં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી કોલેજો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાનો ઘણાં છે. તેમાં ઉચ્ચ ક્રમની શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ વૈશ્વિક કક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં નામના પણ પામ્યા છે.

આવો, ‘અનુપમા’ના આજના લેખમાં ભારતમાં હાયર સ્ટડીઝ માટે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ અને ટોચ ક્રમે આવતી શિક્ષણસંસ્થાઓ વિશે માહિતી મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિજ્ઞાન

જીવલેણ ઇન્ફેક્શન્સમાં રામબાણ ગણાતી એન્ટિબાયોટિક દવાઓનો ઇતિહાસ

માનવજીવનના સ્વાસ્થ્ય-આરોગ્યના ‘સંવર્ધન’ અર્થે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ તત્પર છે. નવા રોગો અને નવી તકલીફો સાથે દવાઓની રેંજ વધતી જાય છે અને દવાની કંપનીઓ પણ ‘વધતી’ જાય છે. ફાર્મા માર્કેટના વિકાસ સાથે હેલ્થ-કેર ઇંડસ્ટ્રી તગડો (અહાહા … કેવો તગડો!) થતો જાય છે!!

ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની રેવન્યુ 1200 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચી છે. વિશ્વના ફાર્મા માર્કેટમાં જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન, રોશ, ફાઇઝર, નોવાર્ટિસ, જીએસકે જેવી કંપનીઓ જાયંટ ગણાય છે. ભારતના ડ્રગ મેન્યુફેક્ચરર્સ માર્કેટમાં સન ફાર્મા, સિપ્લા, અરબિંદો, લ્યુપિન, ડૉ રેડ્ડીઝ લેબ, ઝાયડસ જેવી કંપનીઓ અગ્રેસર  છે. તેમાં સન ફાર્મા અને ઝાયડસ કંપનીઓ ગુજરાતીઓની છે, તે ગર્વની વાત છે.

વિશ્વના ફાર્માસ્યુટિકલ માર્કેટમાં વિભિન્ન થેરાપ્યુટિક સેગ્મેન્ટ્સમાં ટોચ પર કેન્સર માટેની ઓન્કો મેડિસિન્સ આવે છે. તે બધા સેગ્મેન્ટ્સમાં એન્ટિબાયોટિક દવાઓ એક અગત્યનો સેગ્મેંટ બનાવે છે.

પેનિસિલિન, ટેટ્રાસાયક્લિન, એમ્પિસિલિન, એમોક્સિસિલિનથી લઈને સિપ્રોફ્લોક્સાસિન સુધીની એન્ટિબાયોટિક ડ્રગ્સનાં નામ અજાણ્યાં નથી!

પ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિનના શોધક સ્કોટલેંડ (ઇંગ્લેન્ડ) ના ફિઝિશિયન-માઇક્રોબાયોલોજીસ્ટ ડૉક્ટર એલેક્ઝાંડર ફ્લેમિંગ હતા તે વાત સૌ જાણે. પરંતુ વિશ્વનું આ પહેલું એન્ટિબાયોટિક વર્ષ 1928માં  ડૉ ફ્લેમિંગને અનયાસે જ લાધ્યું હતું, તે માની શકાય? આ વાત આજે આપણે જાણીશું.

આવો, ‘અનુપમા’ ના આજના લેખમાં માઇક્રોઓર્ગેનિઝમ્સ (જીવાણુઓ) અને એન્ટિબાયોટિક દવાઓના ઇતિહાસ વિશે જાણકારી મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

ગુજરાતની સેવા કરનાર પ્રથમ મહિલા ડોક્ટરો: મોતીબાઈ કાપડિયા અને રુખમાબાઈ રાઉત

આજથી 130 વર્ષ પહેલાં ગુજરાતમાં મહિલા ડૉકટરની કલ્પના કરવી મુશ્કેલ હતી. તે સમયે, જ્યારે સ્ત્રી ઘરની બહાર નીકળી શકતી ન હતી ત્યારે, સ્ત્રીશિક્ષણની તો વાત જ શી કરવી! આવા જમાનામાં, ઓગણીસમી સદીના અંતમાં, ગુજરાતમાં બે સ્ત્રી ડૉક્ટરો આવી વસ્યા અને તેમણે ગુજરાતની મહિલાઓની ખૂબ સેવા કરી.

ગુજરાતમાં સ્ત્રીઆરોગ્ય સેવાના શ્રીગણેશ કરનાર આ બે મહિલા ડોક્ટરો હતા ડૉ મોતીબાઈ કાપડિયા અને ડૉ રુખમાબાઈ રાઉત.

આપે 19મી સદીના અંતમાં હિંદુસ્તાનના સ્ત્રી સમાજમાં જાગૃતિ આણી, સ્ત્રીશિક્ષણની જ્યોત જગાવનાર પંડિતા રમાબાઈ સરસ્વતી, આનંદીબાઈ ગોપાલરાવ જોશી અને કાદંબિની ગાંગુલીની કહાણીઓ વાંચી છે.

હિંદુસ્તાનની પ્રથમ બે પ્રસિદ્ધ મહિલા તબીબો ડૉ આનંદી ગોપાલ જોશી અને ડૉ કાદંબિની ગાંગુલીએ સ્ત્રી સશક્તિકરણ – વિમેન એમ્પાવરમેંટ – નો પાયો નાખ્યો. તેમનાં પગલે રુખમાબાઈ રાઉત, મોતીબાઈ કાપડિયા અને અન્ય અસંખ્ય સ્રીઓને સમાજમાં આગળ વધવાની પ્રેરણા મળી.

ગુજરાતમાં મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે અમૂલ્ય સેવા પ્રદાન કરનાર ડૉક્ટર મોતીબાઈ કાપડિયા અને ડૉકટર રુખમાબાઈ રાઉતને ગુજરાતી સ્ત્રી સમાજ હંમેશા યાદ કરશે. તેમણે અમદાવાદ, સુરત અને રાજકોટમાં તબીબી સેવાઓ આપી.

‘અનુપમા’ના આજના લેખમાં ગુજરાતમાં સેવા આપનાર સૌ પ્રથમ મહિલા ડૉક્ટરો મોતીબાઈ કાપડિયા અને રુખમાબાઈ રાઉતનો આછો પરિચય મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

ગુજરાતી રંગભૂમિના અમૃત કેશવ નાયક અને પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ ગાયિકા ગૌહર જાન

જૂની ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં અમદાવાદના અમૃત કેશવ નાયકનું વિશેષ સ્થાન છે.

ઓગણસમી સદી-વીસમી સદીના સંધિ કાળે અમૃત કેશવ નાયક ગુજરાતી નાટ્યકાર અને નવલકથાકાર તરીકે ચમકી ગયા. માંડ ત્રીસેક વર્ષનું આયુષ્ય ભોગવનાર અમૃત નાયક ગુજરાતી તથા ઉર્દુ ભાષાના સાહિત્યક્ષેત્રે અનોખી છાપ છોડી ગયા.

અમૃત નાયકને તત્કાલીન હિંદુસ્તાનનાં વિખ્યાત ગાયિકા ગૌહર જાન (ગોહર જાન) સાથે અંતરંગ સંબંધો હતા. ગૌહર જાન એ ગાયક કલાકારોમાંથી એક હતાં જેમના અવાજમાં હિંદુસ્તાનમાં 78 આરપીએમ ગ્રામોફોન રેકોર્ડના રેકોર્ડિંગનો આરંભ થયો. વર્ષ 1902-03 ના ગાળામાં ગ્રામોફોન કંપની (પાછળથી ગ્રામોફોન કંપની ઓફ ઇંડિયા) એ જે પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ્સ માર્કેટમાં મૂકી, તેમાં ગૌહર જાનના શાસ્ત્રીય કંઠ્યસંગીતની રેકોર્ડ હતી. આમ, ગૌહર જાન ભારતનાં પ્રથમ ‘રેકોર્ડિંગ સ્ટાર’ ગાયિકા.  

આવો, આજે ‘અનુપમા’ પર ગુજરાતના નાટ્યકાર-સાહિત્યકાર અમૃત કેશવ નાયક તથા હિંદુસ્તાની ગાયિકા-નર્તકી ગૌહર જાનની અર્ધ-અજાણી વાતો પર નજર નાખીએ.

 [આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

મુક્તપંચિકા · વિસરાતી વાતો

અનુપમા: વીતેલા સમયની કેટલીક રસપ્રદ પોસ્ટ્સ

  ‘અનુપમા’ બ્લૉગ પર ભૂતકાળમાં પ્રકાશિત કેટલીક રસપ્રદ પોસ્ટ્સની લિંક નીચે આપેલ છે. આપને તે પોસ્ટ્સ વાંચવી જરૂર ગમશે. ધન્યવાદ! ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકે  શેઠ કસ્તુરભાઈ લાલભાઈ સુરતના સવિતાનારાયણ ગણપતિનારાયણ ઇન્ડિયાના જોન્સ, સ્ટંટબાજી,  હોલિવુડ અને બોલિવુડ ગુજરાતી રંગભૂમિ

વિજ્ઞાન · સમાચાર

પાર્કર સોલર પ્રોબ, યુજીન પાર્કર અને ભારતના સુબ્રમણ્યન ચંદ્રશેખરને જોડતી કડીઓ

આજે નાસાના પાર્કર સોલર પ્રોબના ભારતીય કનેકશનની ખાસ વાત કરવી છે.  

અમેરિકાની અવકાશ સંસ્થા  ‘નાસા’ – નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન – નાં સ્પેસ પ્રોગ્રામ વિશ્વભરમાં ઉત્સુકતા વધારી રહ્યાં છે. દુનિયાભરનાં અગ્રણી મીડિયામાં નાસાનાં સ્પેસ મિશનો છવાઈ રહ્યાં છે, પરિણામે સામાન્ય માનવી પણ વર્તમાન અવકાશ કાર્યક્રમોમાં રસ લઈ રહ્યો છે.

એસ્ટ્રોનોમી – ખગોળશાસ્ત્ર, રેડિયો એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ, રેડિયો એસ્ટ્રોફિઝિક્સ, સ્પેસ સાયન્સ જેવી વિજ્ઞાનની શાખા-પ્રશાખાઓ ડેવલપ થતી જાય છે. ગુજરાતનાં વિદ્વાન શિક્ષણશાસ્ત્રીઓ તથા મારા શિક્ષક મિત્રોને હું હાર્દિક અપીલ કરું છું કે આપ વિદ્યાર્થીઓને, ગુજરાતના યુવાધનને વિશ્વની બદલાતી તાસીરથી માહિતગાર કરો. યુવાવર્ગને પ્રોત્સાહિત કરવા ઘનિષ્ઠ પ્રયત્નો આદરો. આપ સૌના હાથમાં ગુજરાતની, ગુજરાતીઓની પ્રગતિનું સુકાન છે. શિક્ષકમિત્રો ! આપ વિદ્યાર્થીઓને નવાં વિકસતાં ક્ષેત્રોની જાણકારી આપો, વિજ્ઞાનની નવી ઉઘડતી દિશાઓ સમજાવો, વિવિધ ફિલ્ડમાં કેટલી અવનવી ઘટનાઓ ઘટી રહી છે તેની માહિતી આપો! વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ ઊભી કરી પરિવર્તનો પ્રતિ અભિમુખ કરો! નવાં ક્ષેત્રોમાં ડગ માંડવા સજ્જ કરો!

નવી વિચારધારાઓ અને ટેકનોલોજીને જોરે દુનિયા કેવી ઝડપથી બદલાઈ રહી છે!

સ્ટીફન હૉકિંગ દ્વારા પૃથ્વી છોડી, માનવસવાટ માટે અન્યત્ર યોગ્ય ગ્રહ શોધવાની વાતને ગંભીરતાથી લેવાઈ છે. તે બાબત પરત્વે અમેરિકાનાં પ્રયત્નો કદાચ સૌથી ગંભીર હોય તેવું નાસાના સ્પેસ પ્રોગ્રામની વણથંભી વણઝારથી લાગી રહ્યું છે. નાસાનાં સ્પેસ કાર્યક્રમો અંતર્ગત પાયોનિયર 10, પાયોનિયર 11, વૉયેજર 1 અને વૉયેજર 2 પછી પાર્કર સોલર પ્રોબ તથા ન્યૂ હોરાઇઝોન્સ લોકજીભે ચઢી રહ્યાં છે.

‘અનુપમા’ના આજના લેખમાં પાર્કર સોલર પ્રોબની સફળતામાં નિમિત્ત બનનાર એક મહાન ભારતીય વૈજ્ઞાનિકની વાત કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ગુજરાત

સ્વતંત્ર ભારતના દીવ-દમણ-ગોવામાં પોર્ટુગલ શાસનનો ‘નાટ્યાત્મક’ અંત

ભારત 1947ના 15 ઑગસ્ટના રોજ સ્વતંત્ર થયું. ભારતને આઝાદી આપી અંગ્રેજોએ દેશ છોડ્યો અને બ્રિટીશ હકૂમતનો અંત આવ્યો.

ઘણાને એવી ગેરસમજ થાય છે કે સમગ્ર ભારત દેશ તે દિવસે આઝાદ થઈ ગયો! ના, અખંડ ભારત તો તે પછી વર્ષો પછી બન્યું! કેમ? કારણ કે તે સમયે આપણા કેટલાક પ્રદેશોના દેશવાસીઓ હજી અન્ય હકૂમત નીચે હતાં!

દીવ, દમણ અને ગોવા પર પોર્ટુગલની હકૂમત હતી. પોંડીચેરી (પુડુચેરી) અને ફ્રેંચ ઇંડિયાના કેટલાક ક્ષેત્રો પર ફ્રાંસની હકૂમત હતી. હૈદ્રાબાદનું રાજ્ય હેદ્રાબાદના નવાબ નિઝામને કબજે હતું. જૂનાગઢ પર ત્યાંના નવાબનું રાજ્ય હતું. અન્ય કેટલાયે નાનાં મોટાં રજવાડાંઓ તેમના રાજાઓના તાબે હતાં. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની મુત્સદ્દીગીરી ભરી મંત્રણાઓ અને વ્યુહરચનાઓને પરિણામે મોટાં ભાગનાં રજવાડાં ભારતમાં જોડાઈ ગયાં.

પોંડીચેરી પર ફ્રાંસની હકૂમત 1954 સુધી રહી, તો દીવ-દમણ-ગોવા પર પોર્ટુગલનું શાસન 1961 સુધી રહ્યું.

આપણે દીવ, દમણ અને ગોવા પરના પોર્ટુગીઝ શાસનની ટૂંકમાં વાત કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]