વિસરાતી વાતો

મુંબઈ ભારતની આર્થિક રાજધાની કેવી રીતે બન્યું?

મુંબઈ ભારતની આર્થિક રાજધાની તરીકે ભારતનું સૌથી મહત્વપૂર્ણ શહેર ગણાય છે. આજે આ શહેર લાખો લોકો માટે સ્વપ્નનગરી બન્યું છે.

એક જમાનામાં, મુંબઈ એટલે સાત છૂટાછવાયા ટાપુઓનો સમૂહ. સાડા ત્રણસો વર્ષ પહેલાં મુખ્યત્વે માછીમાર-કોળીઓની વસ્તી ધરાવતા પછાત ટાપુઓ એક આધુનિક શહેરમાં પલટાય તે ચમત્કાર જ ને! મૌર્ય શાસકો અને ગુજરાતના રાજ્યકર્તાઓથી લઈને મરાઠા અને અંગ્રેજ શાસનકર્તાઓએ તેના ઇતિહાસને સજાવ્યો છે.

સ્વપ્નનગરી મુંબઈના વિકાસની કહાણી રંગીન પણ છે, દિલચશ્પ પણ.

‘અનુપમા’ના આજના લેખમાં આપણે મુંબઈના આર્થિક વિકાસની રૂપરેખા પર નજર નાખીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

આપબળે અગ્રણી હોટેલિયર બન્યા એમ એસ ઓબેરોય – ભારતમાં લક્ઝરી હોટેલ ઉદ્યોગના મહારથી

વીસમી સદીના આરંભે વિશ્વ ફલક પર બ્રિટીશ હિંદુસ્તાનના હોટેલ ઉદ્યોગનું કોઈ નામ ન હતું, દેશની ગણીગાંઠી હોટેલો જાણે વિદેશીઓ અને અંગ્રેજોની મહેરબાની ભોગવતા અતિ શ્રીમંત હિંદુસ્તાનીઓ માટે જ ચાલતી હતી. આવા જમાનામાં બે હિંદુસ્તાનીઓએ પોત પોતાની હોટેલ ઊભી કરવા હિંમત કરી અને ભારતીય હોટેલ ઉદ્યોગનો પાયો નાખ્યો. પ્રથમ, વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ જમશેદજી ટાટા અને બીજા, અવ્વલ હોટેલિયર મોહન સિંઘ ઓબેરોય. બંને મહાનુભાવો પાસે વ્યવસાય માટે બેનમૂન કુનેહ અને અમાપ દીર્ઘદર્શિતા હતાં. જમશેદજી ટાટાના ટાટા ગ્રુપની હોસ્પિટાલિટી કંપની ‘ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ – આઇએચસીએલ તરીકે તથા મોહન સિંઘ ઓબેરોયની કંપની ઇસ્ટ ઇન્ડિયા હોટેલ્સ લિમિટેડ –  ઇઆઇએચએલ EIHL – (ઓબેરોય ગ્રુપ ઑફ હોટેલ્સ) ભારતીય હોટેલ ઉદ્યોગની અગ્રિમ લક્ઝરી હોટેલ શૃંખલાઓ તરીકે પ્રસિદ્ધિ પામી છે. એમ એસ ઓબેરોય તરીકે જાણીતા રાય બહાદુર મોહન સિંઘ ઓબેરોય પંજાબના એક નાનકડા ગામમાં જન્મ્યા અને આપબળે ભારતના અગ્રણી ઓબેરોય લક્ઝરી હોટેલ ચેઇનના મહારથી બન્યા.

‘અનુપમા’ના આજના લેખમાં આપણે રાય બહાદુર મોહન સિંઘ ઓબેરોયની અવિરત  સંઘર્ષ ભરી જીવન ગાથા પર નજર નાખીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

ભારતીય ક્રિકેટના વિક્રમસર્જક મહારથીઓ: વિજય મર્ચન્ટ અને વિજય હઝારે

ભારતીય ક્રિકેટના મહારથીઓની યાદી સી. કે. નાયડુથી શરૂ થાય, તેમાં અનેક નામો ઉમેરાતાં જાય અને તે વર્તમાનમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સુધી લંબાય. વળી તેમાં રણજીતસિંહજી અને દુલિપસિંહજીને પણ સ્થાન મળે; ભલે રમ્યા ઇંગ્લેન્ડમાં પણ હતા તો ભારતીય! ભારતીય ટેસ્ટ ટીમના સર્વ પ્રથમ કેપ્ટન સી કે નાયડુ ભારતના મહાનતમ ક્રિકેટરોમાં એક હતા. તેમની વાત ક્યારેક કરવી છે.

આજે ક્રિકેટના બે સિતારા વિજય મર્ચન્ટ અને વિજય હઝારેની વાત કરીએ. સી કે નાયડુની ટૂંકી ટેસ્ટ કારકિર્દી પછી મર્ચંટ અને હઝારે – બંને ખેલાડીઓએ ક્રિકેટ જગતમાં ભારતનું નામ ગુંજતું રાખ્યું. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં વિશ્વભરના ક્રિકેટરોમાં બેટિંગ એવરેજમાં સર્વ પ્રથમ ઑસ્ટ્રેલિયાના સર ડૉન બ્રેડમેન આવે; તે પછી બીજા નંબરે ભારતના વિજય મર્ચંટ આવે તે વાત બહુ ઓછા જાણે છે. ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,000 રનથી વધુ રન કરનાર ખેલાડીઓની બેટિંગ એવરેજમાં વિજય મર્ચન્ટ પ્રથમ સ્થાને છે; માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ તેમની પાછળ છે.

આવો, ‘અનુપમા’ના આજના લેખમાં એક જમાનામાં ભારતીય ક્રિકેટના મહારથી રહેલા વિજય મર્ચન્ટ તથા વિજય હઝારેની ઝમકદાર કારકિર્દીની જાણી-અજાણી વાતોને યાદ કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

મુંબઈનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ – ડૉક્ટર ભાઉ દાજી લાડ મ્યુઝિયમ

મુંબઈના ભાયખલા વિસ્તારમાં શહેરનું સૌ પ્રથમ અને દેશનું ચોથું મ્યુઝિયમ આવેલું છે. હાલ ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ’ તરીકે જાણીતું આ મ્યુઝિયમ અગાઉ ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’ તરીકે ઓળખાતું હતું. ભાયખલાના જિજામાતા ઉદ્યાન (અગાઉ વિક્ટોરિયા ગાર્ડન્સ કે રાણી બાગ) માં સ્થિત મુંબઈનું સૌથી પ્રાચીન સંગ્રહાલય ‘ભાઉ દાજી લાડ મ્યુઝિયમ’ કલાના બેનમૂન નમૂનાઓ સાથે મુંબઈના ઇતિહાસને પ્રદર્શિત કરે છે.

આ મ્યુઝિયમનાં મૂળમાં મુંબઈના તત્કાલીન ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટન દ્વારા 1855માં સ્થપાયેલ ‘સેન્ટ્રલ મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી, ઇકોનોમી, જીઓલોજી, ઇન્ડસ્ટ્રી એન્ડ આર્ટ્સ’ હતું.

બ્રિટીશ અમલદારોના માર્ગદર્શનમાં 1872માં સ્થપાયેલ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમને માટે ફંડ ઊભું કરવામાં મુંબઈના અગ્રણી મહાજનો જગન્નાથ શંકરશેઠ, ડૉ ભાઉ દાજી લાડ, સર જમસેત્જી જીજીભોય (જમશેદજી જીજીભાઈ બેરોનેટ), ડેવિડ સાસુન વગેરેનો સહયોગ હતો.

ગોવામાં જન્મેલા અને મુંબઈમાં ઉછરેલા ડૉક્ટર ભાઉ દાજી લાડ ગ્રાન્ટ મેડિકલ કોલેજ (જીએમસી, બોમ્બે) ની પ્રારંભિક બેચના પદવીધારી ડૉક્ટર હતા. 1850માં મેડિસિનની ડિગ્રી મેળવી ડૉ ભાઉ દાજી લાડે 1851માં ફિઝિશિયન તરીકે તબીબી પ્રેક્ટિસ શરૂ કરી. તેમને શિક્ષણ અને આયુર્વિદિક સંશોધન ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતો, લખાણો, સિક્કાઓ આદિમાં ઊંડો રસ હતો. વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમની સ્થાપના અર્થે તેમણે અથાક પ્રયત્નો કર્યા હતા.

મુંબઈના આ મહાન સેવાભાવી ડોક્ટરની સેવાઓની કદર અર્થે 1975માં મુંબઈના સૌથી પહેલા સંગ્રહાલય વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનું નામ બદલીને ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ’ રાખવામાં આવ્યું.

વાચકમિત્રો! ‘અનુપમા’ના આજના લેખમાં ભાઉ દાજી લાડ મ્યુઝિયમ પર એક નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રણેતા હીરાલાલ સેન: બંગાળના અર્ધ-અજાણ્યા ફિલ્મ સર્જક

સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં નવા ચીલા ચાતરનાર ઘણા સર્જકોને યથોચિત પ્રસિદ્ધિ મળી નથી. ફિલ્મ ઉદ્યોગના વિકાસની ઘણી કડીઓ જળવાઈ નથી. પરિણામે મુવિ કેમેરા અને ચલચિત્ર નિર્માણની પ્રારંભિક ટેકનિક વિકસાવનાર કેટલાક શોધકો અને નિર્માતાઓ ગુમનામીમાં ગર્ત રહ્યા છે.

જે રીતે વિશ્વના સિનેમા ઉદ્યોગના ઉદયકાળે પાયાનું યોગદાન આપનાર એડવર્ડ માયબ્રિજ તથા લુઇ લિ પ્રિન્સ જોઈતી પ્રસિદ્ધિ ન પામી શક્યા, તે રીતે ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રારંભકાળે અમૂલ્ય ફાળો આપનાર હીરાલાલ સેન પણ ઉચિત શ્રેય અને યશ ન પામી શક્યા.

હીરાલાલ સેન (1866-1917) ભારતીય સિનેમાના એક સમર્થ પ્રણેતા અને સિદ્ધહસ્ત ફિલ્મ મેકર હતા. બ્રિટીશ રાજમાં બંગાળના કલકત્તા (કોલકતા) ના હીરાલાલ સેન હિંદુસ્તાનના ફિલ્મ ઇતિહાસમાં અનોખી કેડીઓ કંડારનાર હતા. હીરાલાલ સેનજીએ સ્ટેજ પરના ‘લાઇવ કાર્યક્રમ’ની દેશની પ્રથમ ફિલ્મ બનાવી અને ભારતની સૌ પ્રથમ ફિલ્મ કંપની ‘રોયલ બાયોસ્કોપ કંપની’ની સ્થાપના કરી. હીરાલાલ સેને ભારતની સૌ પહેલી રાજકીય દસ્તાવેજી ફિલ્મ (પોલિટિકલ ફિલ્મ) નું નિર્માણ કર્યું અને દેશની સર્વ પ્રથમ એડવટાઇઝિંગ ફિલ્મ સુપ્રસિદ્ધ ‘જબાકુસુમ’ હેર ઓઇલ માટે બનાવી.

ભારતના ફિલ્મ ઇતિહાસમાં દાદાસાહેબ ફાળકેને જે જ્વલંત પ્રતિષ્ઠા મળી છે, કદાચ તેવી પ્રસિદ્ધિના હકદાર હીરાલાલ સેન પણ બન્યા હોત. પણ રે ભાગ્યના ખેલ! આજે આપણી પાસે તેમની સર્જન કલાનો કોઈ પુરાવો બચ્યો નથી. 1917માં હીરાલાલ સેનની ફિલ્મ કંપની રોયલ બાયોસ્કોપ કંપનીના વેરહાઉસમાં લાગેલી આગની ઝપેટમાં તેમની ફિલ્મ કૃતિઓ રાખ બની ગઈ! આ દુ:ખદ ઘટના પછી બે જ દિવસમાં આ મહાન સર્જક દુનિયાને અલવિદા કહી ગયા!

‘અનુપમા’ના આજના લેખમાં ચલચિત્ર ઉદ્યોગના વિકાસના સંદર્ભમાં ભારતીય ફિલ્મ ઇતિહાસમાં હીરાલાલ સેનના યોગદાનને મૂલવીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિજ્ઞાન · સમાચાર

પાર્કર સોલર પ્રોબ, યુજીન પાર્કર અને ભારતના સુબ્રમણ્યન ચંદ્રશેખરને જોડતી કડીઓ

આજે નાસાના પાર્કર સોલર પ્રોબના ભારતીય કનેકશનની ખાસ વાત કરવી છે.  

અમેરિકાની અવકાશ સંસ્થા  ‘નાસા’ – નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન – નાં સ્પેસ પ્રોગ્રામ વિશ્વભરમાં ઉત્સુકતા વધારી રહ્યાં છે. દુનિયાભરનાં અગ્રણી મીડિયામાં નાસાનાં સ્પેસ મિશનો છવાઈ રહ્યાં છે, પરિણામે સામાન્ય માનવી પણ વર્તમાન અવકાશ કાર્યક્રમોમાં રસ લઈ રહ્યો છે.

એસ્ટ્રોનોમી – ખગોળશાસ્ત્ર, રેડિયો એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ, રેડિયો એસ્ટ્રોફિઝિક્સ, સ્પેસ સાયન્સ જેવી વિજ્ઞાનની શાખા-પ્રશાખાઓ ડેવલપ થતી જાય છે. ગુજરાતનાં વિદ્વાન શિક્ષણશાસ્ત્રીઓ તથા મારા શિક્ષક મિત્રોને હું હાર્દિક અપીલ કરું છું કે આપ વિદ્યાર્થીઓને, ગુજરાતના યુવાધનને વિશ્વની બદલાતી તાસીરથી માહિતગાર કરો. યુવાવર્ગને પ્રોત્સાહિત કરવા ઘનિષ્ઠ પ્રયત્નો આદરો. આપ સૌના હાથમાં ગુજરાતની, ગુજરાતીઓની પ્રગતિનું સુકાન છે. શિક્ષકમિત્રો ! આપ વિદ્યાર્થીઓને નવાં વિકસતાં ક્ષેત્રોની જાણકારી આપો, વિજ્ઞાનની નવી ઉઘડતી દિશાઓ સમજાવો, વિવિધ ફિલ્ડમાં કેટલી અવનવી ઘટનાઓ ઘટી રહી છે તેની માહિતી આપો! વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ ઊભી કરી પરિવર્તનો પ્રતિ અભિમુખ કરો! નવાં ક્ષેત્રોમાં ડગ માંડવા સજ્જ કરો!

નવી વિચારધારાઓ અને ટેકનોલોજીને જોરે દુનિયા કેવી ઝડપથી બદલાઈ રહી છે!

સ્ટીફન હૉકિંગ દ્વારા પૃથ્વી છોડી, માનવસવાટ માટે અન્યત્ર યોગ્ય ગ્રહ શોધવાની વાતને ગંભીરતાથી લેવાઈ છે. તે બાબત પરત્વે અમેરિકાનાં પ્રયત્નો કદાચ સૌથી ગંભીર હોય તેવું નાસાના સ્પેસ પ્રોગ્રામની વણથંભી વણઝારથી લાગી રહ્યું છે. નાસાનાં સ્પેસ કાર્યક્રમો અંતર્ગત પાયોનિયર 10, પાયોનિયર 11, વૉયેજર 1 અને વૉયેજર 2 પછી પાર્કર સોલર પ્રોબ તથા ન્યૂ હોરાઇઝોન્સ લોકજીભે ચઢી રહ્યાં છે.

‘અનુપમા’ના આજના લેખમાં પાર્કર સોલર પ્રોબની સફળતામાં નિમિત્ત બનનાર એક મહાન ભારતીય વૈજ્ઞાનિકની વાત કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ગુજરાત

સ્વતંત્ર ભારતના દીવ-દમણ-ગોવામાં પોર્ટુગલ શાસનનો ‘નાટ્યાત્મક’ અંત

ભારત 1947ના 15 ઑગસ્ટના રોજ સ્વતંત્ર થયું. ભારતને આઝાદી આપી અંગ્રેજોએ દેશ છોડ્યો અને બ્રિટીશ હકૂમતનો અંત આવ્યો.

ઘણાને એવી ગેરસમજ થાય છે કે સમગ્ર ભારત દેશ તે દિવસે આઝાદ થઈ ગયો! ના, અખંડ ભારત તો તે પછી વર્ષો પછી બન્યું! કેમ? કારણ કે તે સમયે આપણા કેટલાક પ્રદેશોના દેશવાસીઓ હજી અન્ય હકૂમત નીચે હતાં!

દીવ, દમણ અને ગોવા પર પોર્ટુગલની હકૂમત હતી. પોંડીચેરી (પુડુચેરી) અને ફ્રેંચ ઇંડિયાના કેટલાક ક્ષેત્રો પર ફ્રાંસની હકૂમત હતી. હૈદ્રાબાદનું રાજ્ય હેદ્રાબાદના નવાબ નિઝામને કબજે હતું. જૂનાગઢ પર ત્યાંના નવાબનું રાજ્ય હતું. અન્ય કેટલાયે નાનાં મોટાં રજવાડાંઓ તેમના રાજાઓના તાબે હતાં. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની મુત્સદ્દીગીરી ભરી મંત્રણાઓ અને વ્યુહરચનાઓને પરિણામે મોટાં ભાગનાં રજવાડાં ભારતમાં જોડાઈ ગયાં.

પોંડીચેરી પર ફ્રાંસની હકૂમત 1954 સુધી રહી, તો દીવ-દમણ-ગોવા પર પોર્ટુગલનું શાસન 1961 સુધી રહ્યું.

આપણે દીવ, દમણ અને ગોવા પરના પોર્ટુગીઝ શાસનની ટૂંકમાં વાત કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા

. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતાનાં ધર્મપત્ની હંસાબહેન મહેતા હતાં. ભારે રૂઢિવાદી સમાજના જમાનામાં 1897માં તેમનો જન્મ, છતાં. તેમણે 1918માં ફિલોસોફી વિષય સાથે બીએની પરીક્ષા પાસ કરી. પત્રકારત્વના અભ્યાસ માટે હંસાબહેન ઇંગ્લેન્ડ ગયાં. સમાજમાં સ્ત્રીઓના સ્થાન માટે હંસાબહેન ચિંતિત હતાં અને હમેશા સ્ત્રીઓના વિકાસ માટે સક્રિય રહેતાં. 1920માં સ્વિટ્ઝરલેંડની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હંસાબહેન… Continue reading આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા

વિસરાતી વાતો

ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી

. અમે શાળામાં ભણતાં ત્યારે પ્રાર્થનાસભામાં ક્યારેક એક ભાવવાહી ભજન ગવાતું- રામ કહો, રહેમાન કહો કોઉ, કા’ન (કહાન) કહો, મહાદેવ રી, પારસનાથ કહો કોઉ બ્રહ્મ, સકલ બ્રહ્મ સ્વયમેવ હી . . … વર્ષો પછી ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં એક પુસ્તકમાં તે ભજન અને કવિ વિશે જાણ્યું કે તે ભજન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય હતું. તે… Continue reading ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી

વિસરાતી વાતો

ખાડિયા, અમદાવાદ અને ક્વિટ ઇંડિયા મુવમેંટ

. હિંદ છોડો ! અંગ્રેજો ! ક્વિટ ઇંડિયા! આ નારાઓ સાથે ભારત છોડો આંદોલન (હિંદ છોડો ચળવળ – ક્વિટ ઇંડિયા મુવમેંટ) ની શરૂઆત થઈ. “અનુપમા”ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે ભારતની આઝાદી પૂર્વે હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામનું છેલ્લું આંદોલન તે હિંદ છોડો આંદોલન. 1942ના ઓગસ્ટની 7 અને 8 તારીખે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન (આઝાદ ક્રાંતિ મેદાન)… Continue reading ખાડિયા, અમદાવાદ અને ક્વિટ ઇંડિયા મુવમેંટ

વિસરાતી વાતો

ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત ઠાકર “પટેલ” (!)

. ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર હવે ભુલાતો જાય છે. ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા; સંસારની તડકીછાંયડીઓની કથા. વિદેશી શાસકોના હિંદુસ્તાન પરના હુમલાઓનો તે સમય. અલ્લાઉદ્દીન ખીલજીના સમયની આ વાત. અલ્લાઉદ્દીન ખીલજીના એક સરદારે સમૃદ્ધ ગુજરાત પર… Continue reading ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત ઠાકર “પટેલ” (!)

વિસરાતી વાતો

એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે

. આપને મેં ક્યારેક ભાવનગરના દિવાન શામળદાસ મહેતા વિશે વાત કરેલ છે. તેમના નાના પુત્ર લલ્લુભાઈ. સર લલ્લુભાઈ શામળદાસ મહેતાના સૌથી નાના પુત્ર ગગનવિહારી મહેતા(1900 – 1974)એ ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે. ગગનવિહારી લલ્લુભાઈ મહેતાને ફિલોસોફી તથા સાહિત્યમાં ઊંડો રસ હતો. ગગનવિહારી મહેતાએ એમ.એ.ની પરીક્ષા માટે વિશ્વવિખ્યાત બ્રિટીશ ફિલોસોફર-વિચારક બર્ટ્રાન્ડ રસેલ પર મહાનિબંધ લખેલ. તેમના પરીક્ષક ભારતીય… Continue reading એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે

વિસરાતી વાતો

વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર

વીસમી સદીના ઉદય સમયે હિંદુસ્તાનના મુંબઈ શહેરની વાત. મુંબઈ શહેરના એક પ્રતિષ્ઠિત મિલમાલિક શ્રેષ્ઠી ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી). માત્ર ત્રેવીસ વર્ષની વયે વિઠ્ઠલદાસ ઠાકરસી મિલમાલિક – ઉદ્યોગપતિ તરીકે નામના પામ્યા. ઇસ 1898માં માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે વિઠ્ઠલદાસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા. 1907માં વિઠ્ઠલદાસ ઠાકરસી મુંબઈ શહેરના મેયર બન્યા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી નાની… Continue reading વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર

વિસરાતી વાતો

ભાવનગરની શામળદાસ કોલેજ

. ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરતાં આપણે રાજકોટને પહેલાં યાદ કરીએ. ભાઈ, ભાવનગર તો જાણે અળખામણું.  ભાવનગર પ્રદેશની ભવ્યતા કેમ ભૂલાઈ જતી હશે? વલ્લભીપુરની સમૃદ્ધિ અને ઘોઘા બંદરની નામના પણ વિસરાઈ જશે? ખેર. ભાવનગરનો વાવટો ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતમાં ફરકતો રાખનાર એક અમારા મિત્ર શ્રી વિશ્વદીપ બારડ  પણ છે. ચાલો, પાછા મૂળ મુદ્દે ભાવનગરની એક-બે… Continue reading ભાવનગરની શામળદાસ કોલેજ

વિસરાતી વાતો

સી. એન. વિદ્યાલય, અમદાવાદ તથા ગુજરાતી રંગભૂમિ

. ગુજરાતના ભૂતકાલીન* પાટનગર અમદાવાદના સી.એન. વિદ્યાલયથી આપણે સુપરિચિત. પણ આ સંસ્કારધામનું નામ જે શ્રેષ્ઠીના શુભ નામ સાથે જોડાયેલ છે, તેમનાથી  કેટલા પરિચિત? આ વાત છે શેઠ ચીમનલાલ નગીનદાસની. શેઠ ચીમનલાલ નગીનદાસ સંસ્કારપ્રેમી શ્રીમંત. ઓગણીસમી સદીના અંતિમ દશકાની આ વાત. ત્યારે એક અમદાવાદીએ ગુજરાતમાં રંગભૂમિના વિકાસનાં સ્વપ્નાં સેવ્યાં હોય, તે વાત માની શકાય? હા, અમદાવાદના… Continue reading સી. એન. વિદ્યાલય, અમદાવાદ તથા ગુજરાતી રંગભૂમિ