વિજ્ઞાન · સમાચાર

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગ

વિશ્વમાં અનેકવિધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા સિદ્ધ થતી જાય છે.

અમેરિકા અને ચીન જેવા દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્ત્વ પારખી ચૂક્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ‘ઇન્ટેલિજન્ટ’ મશીનનાં પ્યાદાંઓથી આવતી કાલની દુનિયાના સુપર પાવર નિર્મિત થવાની શક્યતાઓ નકારી ન શકાય. જો અમેરિકા-ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની હોડમાં ઉતર્યા હોય, તો ભારત શા માટે પાછળ રહે?

ભારત પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ના વ્યાવહારિક ઉપયોગો માટે સજ્જ થઈ રહ્યું છે.

દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એપ્લિકેશન્સ ઇ-કોમર્સ, ટેલિકોમ, હેલ્થકેર, એગ્રીકલ્ચર, એજ્યુકેશન, એન્ટરટેઇનમેન્ટ, કમ્મ્યુનિકેશન, ડિફેન્સ, ટ્રાંસ્પોર્ટેશન, ઇન્ફર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વ્યાપક બનતી જાય છે, જ્યારે ભારતમાં મુખ્યત્વે હેલ્થકેર, એગ્રીકલ્ચર અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં તે વિશેષ પ્રચલિત છે. જો કે ભારતમાં એમેઝોન જેવી મલ્ટિનેશનલ કંપનીઓ સાથે ઇન્ફોસિસ તથા રિલાયંસ જેવી કંપનીઓ પણ એઆઇ ટેકનોલોજીને અપનાવી રહી છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે.

બિગ ડેટા, ક્લાઉડ ટેકનોલોજી, મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક ત્વરાથી વિશ્વ પર છવાતાં  ભારત સરકાર તેમજ દેશના પોલિસી કમિશન (નીતિ આયોગ) ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની અનિવાર્યતા સમજાઈ છે. ફેબ્રુઆરી 2018માં  દ્વારા ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનો નેશનલ પ્રોગ્રામ જાહેર થયો છે, જે અંતર્ગત એઆઇ ક્ષેત્રે સંશોધન પર વિશેષ ભાર મૂકાશે.

આવતા દસ વર્ષમાં બિગ ડેટા અને ક્લાઉડ ટેકનોલોજીએ આપણા જીવનને ભરડો લઈ લીધો હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આપના રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ ભાગ જરૂર ભજવતા હશે. આપ યુવાન હો કે સિનિયર સિટિઝન, આપને દુનિયા સાથે તાલ મિલાવવા આ અદ્યતન ટેકનોલોજીથી વાકેફ રહેવું પડશે. દેશના બાળકોને અને યુવાનોને આ વિશે જાગૃત કરવાની આપણા સૌની ફરજ છે.

આવો, ‘અનુપમા’ના આજના અંકમાં વિશ્વમાં વિસ્તરતી એઆઇ ટેકનોલોજીના સ્કોપને સમજવા સાથે ભારતમાં એઆઇના સ્કોપનું મૂલ્યાંકન કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

સમાચાર

ઇકોનોમિક્સના આટાપાટામાં ‘મેરા ભારત મહાન’ની અર્થવ્યવસ્થા પર એક નજર

ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વ આતુરતાથી અવલોકી રહ્યું છે. ગ્લોબલાઇઝેશન પછી વર્લ્ડ ઇકોનોમીમાં ભારે પરિવર્તનો આવ્યાં છે. માર્કેટવ્યવસ્થાઓ જટિલ બનતાં આર્થિક વિકાસનાં પરિબળો બદલાતાં રહે છે. અર્થવ્યવસ્થા તથા આર્થિક વિકાસની ક્ષતિ રહિત અને સુયોગ્ય મૂલવણી અઘરી છે. અર્થવ્યવસ્થાની ‘તંદુરસ્તી’ને માપવાનાં માપદંડો અને ધોરણો વિશ્વની જુદી જુદી સંસ્થાઓ માટે અલગ અલગ છે. તેથી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને એક ત્રાજવે તોળવી શક્ય નથી, તો યે કેટલાંક પરિણામો ઊડીને આંખે વળગે છે.

દાયકાઓથી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વર્લ્ડ ઇકોનોમીના શિખરે બિરાજે છે.

1980 – 90 ના દાયકામાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નવો પ્રાણ ફુંકાયો, ત્યારે યુએસએ તથા યુએસએસઆર (સોવિયેટ યુનિયન) વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ ધરાવતા દેશો હતા. તે સમયે નોમિનલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આધારે લાર્જેસ્ટ વર્લ્ડ ઇકોનોમી તરીકે યુએસએ, યુએસએસઆર, જાપાન, વેસ્ટ જર્મની અને ફ્રાંસ પ્રથમ પાંચ ક્રમે હતાં.

વર્ષ 2000 પછી ચીનની આર્થિક પ્રગતિ તેજ બની. 2010માં વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં ચીન બીજા ક્રમે આવી ગયું. 2015ના વર્ષમાં વિશ્વની સૌથી મોટી પાંચ અર્થવ્યવસ્થાઓમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને યુનાઇટેડ કિંગ્ડમ (યુકે) ટોચના સ્થાને આવી ગયાં.

આ દરમ્યાન ભારતની આર્થિક પ્રગતિને પાંખો ફૂટી છે. ભારતનો આર્થિક વિકાસ ઘણાને આશાસ્પદ લાગે છે, ઘણાને નિરાશાજનક. બંને પક્ષે નિષ્ણાત અર્થશાસ્ત્રીઓના દાવા છે. કોની વાત સાચી માનવી? આમાં સામાન્ય વાચકે શું સમજવું?  એક જ થઈ શકે કે સાચા-ખોટા દાવાઓના વિવાદમાં ન પડવું. વાચકે સ્વયં અર્થશાસ્ત્રના પાયાના મુદ્દા પર નજર નાખવી અને જાતે જ આર્થિક ચિત્રને સમજવા પ્રયત્ન કરવો. આવો, ‘અનુપમા’ના આજના લેખમાં ભારતીય ઇકોનોમીનાં કેટલાંક પાસાંઓ નિહાળીએ. ભારતના સ્વાતંત્ર્ય દિન (15 ઑગસ્ટ) પૂર્વે ‘અનુપમા’નો આ લેખ વાંચી આપ પણ કહેશો: ‘મેરા ભારત મહાન’.

[આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો.– હરીશ દવે]

વિસરાતી વાતો

વિશ્વપ્રસિદ્ધ અંગકોર વાટના મંદિરના ઇતિહાસને પ્રકાશિત કરતી લિડાર ટેકનોલોજી

દુનિયાનું સૌથી વિશાળ અને ભવ્યતમ ધાર્મિક સ્થાન કંબોડિયા દેશનું અંગકોર વાટનું મંદિર છે. દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલ કંબોડિયા (કાંપુચિયા/ ખ્મેર રિપબ્લિક) દેશનું અંગકોર વાટનું મંદિર તેની બેનમૂન શિલ્પ-સ્થાપત્યકલાને લીધે વિશ્વની સ્થાપત્ય અજાયબીઓમાં સ્થાન પામે છે.

પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સાઉથ ઇસ્ટ એશિયાના મ્યાનમાર, થાઇલેંડ, કંબોડિયા, મલયેશિયા, ઇન્ડોનેશિયા અને અન્ય દેશો સુધી વિસ્તરેલો હતો.

હજારેક વર્ષ પહેલાં સાઉથ ઇસ્ટ એશિયામાં એક સામ્રાજ્ય ‘ખ્મેર એમ્પાયર’ અતિ શક્તિશાળી અને વિસ્તૃત રાજ્ય વિકસ્યું હતુ. ખ્મેર સામ્રાજ્યની સ્થાપના હિંદુ ધર્મ પાળતા ખ્મેર રાજાઓએ કરી. બારમી સદીમાં ખ્મેર રાજા સૂર્યવર્મન બીજાએ સામ્રાજ્યના કેન્દ્ર સમા નગર અંગકોરમાં હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ ભવ્ય વિષ્ણુ મંદિર બનાવ્યું. અંગકોર વાટના વિષ્ણુ મંદિરને બસોએક વર્ષ પછી બૌદ્ધ મંદિર બનાવવામાં આવ્યું. પંદરમી સદીમાં ખ્મેર સામ્રાજ્યની પડતી પછી અંગકોર વાટનું મંદિર ઘનઘોર જંગલોમાં ખોવાઈ ગયું. પુરાતત્ત્વવિજ્ઞાનીઓના અથાક પ્રયત્નોથી પુરાણા અંગકોરના 400 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા અવશેષોને શોધી કાઢવામાં આવ્યાં છે. આર્કિયોલોજી અને લિડાર ટેકનોલોજીની કમાલથી આજે અંગકોર વાટના હિંદુ-બૌદ્ધ મંદિરને તેના ભવ્ય સ્થાપત્ય સાથે પુન: પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. આવો, લિડાર ટેકનોલોજીએ પ્રકાશિત કરેલ અંગકોર વાટ મંદિરની કથાને ‘અનુપમા’ પર જાણીએ. [આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

વિસરાતી વાતો

પંડિતા રમાબાઈ સરસ્વતી: ભારતમાં મહિલા સશક્તિકરણનાં પથદર્શક

  રમાબાઈના જન્મ પૂર્વે હિંદુસ્તાન સાયન્સ અને ટેકનોલોજીના સહારે આજે આપણે એવા જીવનસ્તર પર પહોંચ્યા છીએ કે આજથી બસો –ત્રણસો વર્ષ પહેલાના બંધિયાર સમાજની કલ્પના પણ ન થઈ શકે! શિક્ષણ કે કેળવણીના પૂરા પાયા નખાયા ન હતા!  શું યુરોપ – અમેરિકા કે શું હિંદુસ્તાન, ક્યાંય મહિલા સશક્તિકરણ કે વિમેન એમ્પાવરમેંટ તો શું, મહિલા શિક્ષણનો વિચાર… Continue reading પંડિતા રમાબાઈ સરસ્વતી: ભારતમાં મહિલા સશક્તિકરણનાં પથદર્શક

વિસરાતી વાતો

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના મહેમાન ઇંગ્લેન્ડના પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ

. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સંસ્કારનગરી વડોદરાનું નામ સાંભળતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, મહાયોગી શ્રી અરવિંદ, એમ એસ યુનિવર્સિટી તથા મહારાજાનો રાજમહેલ લક્ષ્મીવિલાસ પેલેસ અચૂક યાદ આવે. ભવ્ય લક્ષ્મીવિલાસ પેલેસ ઇંગ્લેન્ડના રાજવી પરિવારના બકિંગહામ પેલેસ (લંડન) કરતાં ચાર ગણો મોટો છે. સત્તરમી સદીમાં વડોદરા પર મોગલ સામ્રાજ્યની આણ હતી. 1721માં મરાઠા સરદાર પિલાજીરાવ ગાયકવાડે… Continue reading વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના મહેમાન ઇંગ્લેન્ડના પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ

વિસરાતી વાતો

આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા

. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતાનાં ધર્મપત્ની હંસાબહેન મહેતા હતાં. ભારે રૂઢિવાદી સમાજના જમાનામાં 1897માં તેમનો જન્મ, છતાં. તેમણે 1918માં ફિલોસોફી વિષય સાથે બીએની પરીક્ષા પાસ કરી. પત્રકારત્વના અભ્યાસ માટે હંસાબહેન ઇંગ્લેન્ડ ગયાં. સમાજમાં સ્ત્રીઓના સ્થાન માટે હંસાબહેન ચિંતિત હતાં અને હમેશા સ્ત્રીઓના વિકાસ માટે સક્રિય રહેતાં. 1920માં સ્વિટ્ઝરલેંડની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હંસાબહેન… Continue reading આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા

વિસરાતી વાતો

ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી

. અમે શાળામાં ભણતાં ત્યારે પ્રાર્થનાસભામાં ક્યારેક એક ભાવવાહી ભજન ગવાતું- રામ કહો, રહેમાન કહો કોઉ, કા’ન (કહાન) કહો, મહાદેવ રી, પારસનાથ કહો કોઉ બ્રહ્મ, સકલ બ્રહ્મ સ્વયમેવ હી . . … વર્ષો પછી ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં એક પુસ્તકમાં તે ભજન અને કવિ વિશે જાણ્યું કે તે ભજન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય હતું. તે… Continue reading ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી

વિસરાતી વાતો

ખાડિયા, અમદાવાદ અને ક્વિટ ઇંડિયા મુવમેંટ

. હિંદ છોડો ! અંગ્રેજો ! ક્વિટ ઇંડિયા! આ નારાઓ સાથે ભારત છોડો આંદોલન (હિંદ છોડો ચળવળ – ક્વિટ ઇંડિયા મુવમેંટ) ની શરૂઆત થઈ. “અનુપમા”ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે ભારતની આઝાદી પૂર્વે હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામનું છેલ્લું આંદોલન તે હિંદ છોડો આંદોલન. 1942ના ઓગસ્ટની 7 અને 8 તારીખે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન (આઝાદ ક્રાંતિ મેદાન)… Continue reading ખાડિયા, અમદાવાદ અને ક્વિટ ઇંડિયા મુવમેંટ

વિસરાતી વાતો

ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત ઠાકર “પટેલ” (!)

. ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર હવે ભુલાતો જાય છે. ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા; સંસારની તડકીછાંયડીઓની કથા. વિદેશી શાસકોના હિંદુસ્તાન પરના હુમલાઓનો તે સમય. અલ્લાઉદ્દીન ખીલજીના સમયની આ વાત. અલ્લાઉદ્દીન ખીલજીના એક સરદારે સમૃદ્ધ ગુજરાત પર… Continue reading ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત ઠાકર “પટેલ” (!)

વિસરાતી વાતો

એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે

. આપને મેં ક્યારેક ભાવનગરના દિવાન શામળદાસ મહેતા વિશે વાત કરેલ છે. તેમના નાના પુત્ર લલ્લુભાઈ. સર લલ્લુભાઈ શામળદાસ મહેતાના સૌથી નાના પુત્ર ગગનવિહારી મહેતા(1900 – 1974)એ ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે. ગગનવિહારી લલ્લુભાઈ મહેતાને ફિલોસોફી તથા સાહિત્યમાં ઊંડો રસ હતો. ગગનવિહારી મહેતાએ એમ.એ.ની પરીક્ષા માટે વિશ્વવિખ્યાત બ્રિટીશ ફિલોસોફર-વિચારક બર્ટ્રાન્ડ રસેલ પર મહાનિબંધ લખેલ. તેમના પરીક્ષક ભારતીય… Continue reading એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે

વિસરાતી વાતો

વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર

વીસમી સદીના ઉદય સમયે હિંદુસ્તાનના મુંબઈ શહેરની વાત. મુંબઈ શહેરના એક પ્રતિષ્ઠિત મિલમાલિક શ્રેષ્ઠી ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી). માત્ર ત્રેવીસ વર્ષની વયે વિઠ્ઠલદાસ ઠાકરસી મિલમાલિક – ઉદ્યોગપતિ તરીકે નામના પામ્યા. ઇસ 1898માં માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે વિઠ્ઠલદાસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા. 1907માં વિઠ્ઠલદાસ ઠાકરસી મુંબઈ શહેરના મેયર બન્યા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી નાની… Continue reading વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર

વિસરાતી વાતો

ભાવનગરની શામળદાસ કોલેજ

. ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરતાં આપણે રાજકોટને પહેલાં યાદ કરીએ. ભાઈ, ભાવનગર તો જાણે અળખામણું.  ભાવનગર પ્રદેશની ભવ્યતા કેમ ભૂલાઈ જતી હશે? વલ્લભીપુરની સમૃદ્ધિ અને ઘોઘા બંદરની નામના પણ વિસરાઈ જશે? ખેર. ભાવનગરનો વાવટો ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતમાં ફરકતો રાખનાર એક અમારા મિત્ર શ્રી વિશ્વદીપ બારડ  પણ છે. ચાલો, પાછા મૂળ મુદ્દે ભાવનગરની એક-બે… Continue reading ભાવનગરની શામળદાસ કોલેજ

વિસરાતી વાતો

સી. એન. વિદ્યાલય, અમદાવાદ તથા ગુજરાતી રંગભૂમિ

. ગુજરાતના ભૂતકાલીન* પાટનગર અમદાવાદના સી.એન. વિદ્યાલયથી આપણે સુપરિચિત. પણ આ સંસ્કારધામનું નામ જે શ્રેષ્ઠીના શુભ નામ સાથે જોડાયેલ છે, તેમનાથી  કેટલા પરિચિત? આ વાત છે શેઠ ચીમનલાલ નગીનદાસની. શેઠ ચીમનલાલ નગીનદાસ સંસ્કારપ્રેમી શ્રીમંત. ઓગણીસમી સદીના અંતિમ દશકાની આ વાત. ત્યારે એક અમદાવાદીએ ગુજરાતમાં રંગભૂમિના વિકાસનાં સ્વપ્નાં સેવ્યાં હોય, તે વાત માની શકાય? હા, અમદાવાદના… Continue reading સી. એન. વિદ્યાલય, અમદાવાદ તથા ગુજરાતી રંગભૂમિ

વિસરાતી વાતો

સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર અને મહાયોગી શ્રી અરવિંદ

. ભારતના વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથ ઠાકુર ગુજરાતના ખેડા જિલ્લામાં જન્મ્યા હતા તે વાત આપણામાંથી બહુ ઓછા જાણે છે. મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પાસે સંગીતસાધના કરી ઓમકારનાથજી યુવાનવયે લાહોર (હાલ પાકિસ્તાન) ખાતે ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્યપદે નીમાયા. પરંતુ તેમના હૃદયમાં ચીલાચાલુ જીવનની ચાહ ન હતી. ઓમકારનાથની બાલ્યાવસ્થામાં તેમના પિતાજીએ કુટુંબ ત્યાગી સંન્યાસ માર્ગ લીધો હતો. તેમના… Continue reading સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર અને મહાયોગી શ્રી અરવિંદ

વિસરાતી વાતો

ભારતરત્ન જે આર ડી ટાટા અને અમદાવાદ

. મહાન ઉદ્યોગપતિ જે આર ડી ટાટા (જહાંગીર રતનજી દાદાભાઈ તાતા 1904 – 1993) ને રાષ્ટ્રનિર્માણમાં વિશિષ્ટ યોગદાન અને ઔદ્યોગિક ક્ષેત્રે અદ્વિતીય ફાળા માટે 1992માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. જે આર ડી ટાટા ભારતમાં હવાઈ સેવાઓ – એવિએશન ઇન્ડસ્ટ્રી – ના પ્રણેતા તરીકે આજે પણ આદર પામે છે. જે આર ડી ટાટાએ 1932માં ટાટા… Continue reading ભારતરત્ન જે આર ડી ટાટા અને અમદાવાદ