વિસરાતી વાતો

ખાડિયા, અમદાવાદ અને ક્વિટ ઇંડિયા મુવમેંટ

. હિંદ છોડો ! અંગ્રેજો ! ક્વિટ ઇંડિયા! આ નારાઓ સાથે ભારત છોડો આંદોલન (હિંદ છોડો ચળવળ – ક્વિટ ઇંડિયા મુવમેંટ) ની શરૂઆત થઈ. “અનુપમા”ના સુજ્ઞ વાચકો જાણતા હશે કે ભારતની આઝાદી પૂર્વે હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામનું છેલ્લું આંદોલન તે હિંદ છોડો આંદોલન. 1942ના ઓગસ્ટની 7 અને 8 તારીખે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન (આઝાદ ક્રાંતિ મેદાન)… Continue reading ખાડિયા, અમદાવાદ અને ક્વિટ ઇંડિયા મુવમેંટ

વિસરાતી વાતો

ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત ઠાકર “પટેલ” (!)

. ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર હવે ભુલાતો જાય છે. ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા; સંસારની તડકીછાંયડીઓની કથા. વિદેશી શાસકોના હિંદુસ્તાન પરના હુમલાઓનો તે સમય. અલ્લાઉદ્દીન ખીલજીના સમયની આ વાત. અલ્લાઉદ્દીન ખીલજીના એક સરદારે સમૃદ્ધ ગુજરાત પર… Continue reading ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત ઠાકર “પટેલ” (!)

વિસરાતી વાતો

એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે

. આપને મેં ક્યારેક ભાવનગરના દિવાન શામળદાસ મહેતા વિશે વાત કરેલ છે. તેમના નાના પુત્ર લલ્લુભાઈ. સર લલ્લુભાઈ શામળદાસ મહેતાના સૌથી નાના પુત્ર ગગનવિહારી મહેતા(1900 – 1974)એ ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે. ગગનવિહારી લલ્લુભાઈ મહેતાને ફિલોસોફી તથા સાહિત્યમાં ઊંડો રસ હતો. ગગનવિહારી મહેતાએ એમ.એ.ની પરીક્ષા માટે વિશ્વવિખ્યાત બ્રિટીશ ફિલોસોફર-વિચારક બર્ટ્રાન્ડ રસેલ પર મહાનિબંધ લખેલ. તેમના પરીક્ષક ભારતીય… Continue reading એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે

વિસરાતી વાતો

વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર

વીસમી સદીના ઉદય સમયે હિંદુસ્તાનના મુંબઈ શહેરની વાત. મુંબઈ શહેરના એક પ્રતિષ્ઠિત મિલમાલિક શ્રેષ્ઠી ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી). માત્ર ત્રેવીસ વર્ષની વયે વિઠ્ઠલદાસ ઠાકરસી મિલમાલિક – ઉદ્યોગપતિ તરીકે નામના પામ્યા. ઇસ 1898માં માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે વિઠ્ઠલદાસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા. 1907માં વિઠ્ઠલદાસ ઠાકરસી મુંબઈ શહેરના મેયર બન્યા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી નાની… Continue reading વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર

વિસરાતી વાતો

ભાવનગરની શામળદાસ કોલેજ

. ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરતાં આપણે રાજકોટને પહેલાં યાદ કરીએ. ભાઈ, ભાવનગર તો જાણે અળખામણું.  ભાવનગર પ્રદેશની ભવ્યતા કેમ ભૂલાઈ જતી હશે? વલ્લભીપુરની સમૃદ્ધિ અને ઘોઘા બંદરની નામના પણ વિસરાઈ જશે? ખેર. ભાવનગરનો વાવટો ઇન્ટરનેટ પર ગુજરાતી નેટ જગતમાં ફરકતો રાખનાર એક અમારા મિત્ર શ્રી વિશ્વદીપ બારડ  પણ છે. ચાલો, પાછા મૂળ મુદ્દે ભાવનગરની એક-બે… Continue reading ભાવનગરની શામળદાસ કોલેજ

વિસરાતી વાતો

સી. એન. વિદ્યાલય, અમદાવાદ તથા ગુજરાતી રંગભૂમિ

. ગુજરાતના ભૂતકાલીન* પાટનગર અમદાવાદના સી.એન. વિદ્યાલયથી આપણે સુપરિચિત. પણ આ સંસ્કારધામનું નામ જે શ્રેષ્ઠીના શુભ નામ સાથે જોડાયેલ છે, તેમનાથી  કેટલા પરિચિત? આ વાત છે શેઠ ચીમનલાલ નગીનદાસની. શેઠ ચીમનલાલ નગીનદાસ સંસ્કારપ્રેમી શ્રીમંત. ઓગણીસમી સદીના અંતિમ દશકાની આ વાત. ત્યારે એક અમદાવાદીએ ગુજરાતમાં રંગભૂમિના વિકાસનાં સ્વપ્નાં સેવ્યાં હોય, તે વાત માની શકાય? હા, અમદાવાદના… Continue reading સી. એન. વિદ્યાલય, અમદાવાદ તથા ગુજરાતી રંગભૂમિ

વિસરાતી વાતો

સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર અને મહાયોગી શ્રી અરવિંદ

. ભારતના વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથ ઠાકુર ગુજરાતના ખેડા જિલ્લામાં જન્મ્યા હતા તે વાત આપણામાંથી બહુ ઓછા જાણે છે. મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પાસે સંગીતસાધના કરી ઓમકારનાથજી યુવાનવયે લાહોર (હાલ પાકિસ્તાન) ખાતે ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્યપદે નીમાયા. પરંતુ તેમના હૃદયમાં ચીલાચાલુ જીવનની ચાહ ન હતી. ઓમકારનાથની બાલ્યાવસ્થામાં તેમના પિતાજીએ કુટુંબ ત્યાગી સંન્યાસ માર્ગ લીધો હતો. તેમના… Continue reading સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર અને મહાયોગી શ્રી અરવિંદ

વિસરાતી વાતો

ભારતરત્ન જે આર ડી ટાટા અને અમદાવાદ

. મહાન ઉદ્યોગપતિ જે આર ડી ટાટા (જહાંગીર રતનજી દાદાભાઈ તાતા 1904 – 1993) ને રાષ્ટ્રનિર્માણમાં વિશિષ્ટ યોગદાન અને ઔદ્યોગિક ક્ષેત્રે અદ્વિતીય ફાળા માટે 1992માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. જે આર ડી ટાટા ભારતમાં હવાઈ સેવાઓ – એવિએશન ઇન્ડસ્ટ્રી – ના પ્રણેતા તરીકે આજે પણ આદર પામે છે. જે આર ડી ટાટાએ 1932માં ટાટા… Continue reading ભારતરત્ન જે આર ડી ટાટા અને અમદાવાદ

વિસરાતી વાતો

ઇન્ડિયાના જોન્સ, સ્ટંટબાજી, હોલિવુડ અને બોલિવુડ

. હોલિવુડના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસના સહયોગથી બનેલ મસાલેદાર ફિલ્મ ઇન્ડિયાના જોન્સ એંડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ ગયા વિક એંડ પર રજૂ થઈ. વિશેષ કાળજીભરી સિનેમેટોગ્રાફીથી મઢિત ફિલ્મ ઇન્ડિયાના જોન્સ-4 સૌને કેટલી જચશે તે તો સમય બતાવશે, પરંતુ પીઢ અભિનેતા હેરિસન ફોર્ડ અને લબરમૂછિયા એકવીસ વર્ષના કલાકાર શાયા (શિયા)ની સ્ટંટબાજી (Harrison… Continue reading ઇન્ડિયાના જોન્સ, સ્ટંટબાજી, હોલિવુડ અને બોલિવુડ

વિસરાતી વાતો

મહાત્મા ગાંધી અને અમદાવાદ સત્યાગ્રહ આશ્રમનો આરંભ

.   મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં પોતાની વિશિષ્ટ વિચારધારા અને પ્રવૃત્તિઓથી ખ્યાતિ પામ્યા. હિંદુસ્તાનના અગ્રગણ્ય નેતા ગોપાલ કૃષ્ણ ગોખલે (1866 – 1915)એ ગાંધીજીને સ્વદેશ પરત થઈ દેશસેવામાં જોડાવા આહવાન કર્યું. ગોખલેજીના સૂચનને સ્વીકારી ગાંધીજી 1915ના 9મી જાન્યુઆરીએ હિંદુસ્તાન આવ્યા. ગાંધીજીએ સૌરાષ્ટ્ર તથા બંગાળનો પ્રવાસ કર્યો. ગાંધીજી બંગાળમાં શાંતિનિકેતન ગયા અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર સાથે… Continue reading મહાત્મા ગાંધી અને અમદાવાદ સત્યાગ્રહ આશ્રમનો આરંભ

વિસરાતી વાતો

ભારતનાં દેશી રજવાડાં અને સરદાર પટેલ

.   ઇસ 1947ની 15મી ઓગસ્ટના રોજ હિંદુસ્તાન સ્વતંત્ર થયું. નવસર્જિત ભારત દેશમાં આશરે સાડા પાંચસો  જેટલાં નાનાં-મોટાં રાજ્યો-રજવાડાં હતાં. આપને નવાઇ લાગશે કે આ પૈકી ત્રણસો જેટલાં રજવાડાં ગુજરાત અને કાઠિયાવાડમાં હતાં. ગુજરાતમાં સૌથી મોટું રાજ્ય વડોદરાનું હતું. કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં જામનગર રાજ્ય પ્રભાવશાળી હતું. તમે આ રાજ્ય-રજવાડાંનાં નામ સાંભળી નવાઈ પામશો: વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ,… Continue reading ભારતનાં દેશી રજવાડાં અને સરદાર પટેલ

વિસરાતી વાતો

ગુજરાતી રંગભૂમિ

. ગુજરાતી રંગભૂમિના વિકાસના કેટલાક રસપ્રદ તબક્કાઓ છે. ઇસ 1842માં મુંબઈમાં ગ્રાંટ રોડ પર રોયલ થિયેટર બંધાયું.  મુંબઈના જગન્નાથ શંકર શેઠ નામે ધનપતિએ તે બંધાવ્યું હોવાથી રોયલ થિયેટર ‘ શંકર શેઠની નાટક શાળા ‘  તરીકે ઓળખાયું.  સાચું કહો તો, ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓના શ્રીગણેશ કરવાનો  શ્રેય ગુજરાત બહારના, મુંબઈના પારસીઓને જાય છે.  મુંબઈના પારસી આગેવાનોએ સ્થાપેલ ‘પારસી નાટક મંડળી’એ… Continue reading ગુજરાતી રંગભૂમિ

વિસરાતી વાતો

ગાંધીજીના ભત્રીજા સામળદાસ ગાંધી અને જૂનાગઢની આરઝી હકૂમત

. * રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરના દિવાન કરમચંદ ગાંધીના પુત્ર. ગાંધીજીના મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધી. લક્ષ્મીદાસ ગાંધીના પુત્ર સામળદાસ ગાંધી. આમ, સામળદાસ ગાંધી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભત્રીજા. સામળદાસ ગાંધીએ અમદાવાદમાં ગાંધીજીના ‘નવજીવન’માં તથા મુંબઈમાં ‘મુંબઈ સમાચાર’ અને ‘જન્મભૂમિ’માં કામ કર્યું. 1947માં હિંદુસ્તાન આઝાદ થયું. ગુજરાતમાં જૂનાગઢ(સૌરાષ્ટ્ર)ના નવાબે ભારત સંઘમાં ભળવા ઇંકાર કર્યો અને પાકિસ્તાન સાથે… Continue reading ગાંધીજીના ભત્રીજા સામળદાસ ગાંધી અને જૂનાગઢની આરઝી હકૂમત

વિસરાતી વાતો

સુરતના સવિતાનારાયણ ગણપતિનારાયણ

. ઇસ 1840માં સુરતમાં સવિતાનારાયણ ગણપતિનારાયણનો જન્મ. નાનપણથી જ્ઞાનની ભૂખ. સુરતના વિખ્યાત સુધારક દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ કર્યો. લખતાં-વાંચતાં શીખ્યા. સવિતાનારાયણની જિજ્ઞાસાવૃત્તિ એવી પ્રબળ કે અંગ્રેજી પણ શીખ્યા. તે વર્ષ 1857નું. જ્યારે હિંદુસ્તાન સ્વાતંત્રસંગ્રામની ચિનગારીઓમાં લપેટાયેલું હતું ત્યારે ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ હાકેમો સુરત પાસે તાપી નદી પર પુલ બાંધી રહ્યા હતા. અંગ્રેજ ઇજનેરો… Continue reading સુરતના સવિતાનારાયણ ગણપતિનારાયણ

વિસરાતી વાતો

ગાંધીજીના ઠાકરશી કુટુંબના બંગલે ઉપવાસ

* .મહાત્મા ગાંધી (ગાંધીજી)લંડન (ઇંગ્લેંડ) ની બીજી ગોળમેજી પરિષદ (Second Round Table Conference, London, England) ની નિષ્ફળતા પછી અંગ્રેજ સરકાર (બ્રિટીશ ગવર્ન્મેન્ટ) સામે હિંદુસ્તાનમાં અસરકારક લડત ઉપાડી. અંગ્રેજ સરકારે દમનના જોરે લોક-જુવાળ કચડી નાખવા પ્રયત્નો આદર્યા. બ્રિટીશ સરકારે સભા-સરઘસો ઉપર પ્રતિબંધ મૂક્યા અને કોંગ્રેસની ઓફિસો અને કાર્યકર્તાઓની છાવણીઓ જપ્ત કરી. 1931ના જાન્યુઆરીની ચોથી તારીખે ગાંધીજી… Continue reading ગાંધીજીના ઠાકરશી કુટુંબના બંગલે ઉપવાસ