વિસરાતી વાતો

મુંબઈ ભારતની આર્થિક રાજધાની કેવી રીતે બન્યું?

મુંબઈ ભારતની આર્થિક રાજધાની તરીકે ભારતનું સૌથી મહત્વપૂર્ણ શહેર ગણાય છે. આજે આ શહેર લાખો લોકો માટે સ્વપ્નનગરી બન્યું છે.

એક જમાનામાં, મુંબઈ એટલે સાત છૂટાછવાયા ટાપુઓનો સમૂહ. સાડા ત્રણસો વર્ષ પહેલાં મુખ્યત્વે માછીમાર-કોળીઓની વસ્તી ધરાવતા પછાત ટાપુઓ એક આધુનિક શહેરમાં પલટાય તે ચમત્કાર જ ને! મૌર્ય શાસકો અને ગુજરાતના રાજ્યકર્તાઓથી લઈને મરાઠા અને અંગ્રેજ શાસનકર્તાઓએ તેના ઇતિહાસને સજાવ્યો છે.

સ્વપ્નનગરી મુંબઈના વિકાસની કહાણી રંગીન પણ છે, દિલચશ્પ પણ.

‘અનુપમા’ના આજના લેખમાં આપણે મુંબઈના આર્થિક વિકાસની રૂપરેખા પર નજર નાખીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

આપબળે અગ્રણી હોટેલિયર બન્યા એમ એસ ઓબેરોય – ભારતમાં લક્ઝરી હોટેલ ઉદ્યોગના મહારથી

વીસમી સદીના આરંભે વિશ્વ ફલક પર બ્રિટીશ હિંદુસ્તાનના હોટેલ ઉદ્યોગનું કોઈ નામ ન હતું, દેશની ગણીગાંઠી હોટેલો જાણે વિદેશીઓ અને અંગ્રેજોની મહેરબાની ભોગવતા અતિ શ્રીમંત હિંદુસ્તાનીઓ માટે જ ચાલતી હતી. આવા જમાનામાં બે હિંદુસ્તાનીઓએ પોત પોતાની હોટેલ ઊભી કરવા હિંમત કરી અને ભારતીય હોટેલ ઉદ્યોગનો પાયો નાખ્યો. પ્રથમ, વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ જમશેદજી ટાટા અને બીજા, અવ્વલ હોટેલિયર મોહન સિંઘ ઓબેરોય. બંને મહાનુભાવો પાસે વ્યવસાય માટે બેનમૂન કુનેહ અને અમાપ દીર્ઘદર્શિતા હતાં. જમશેદજી ટાટાના ટાટા ગ્રુપની હોસ્પિટાલિટી કંપની ‘ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ – આઇએચસીએલ તરીકે તથા મોહન સિંઘ ઓબેરોયની કંપની ઇસ્ટ ઇન્ડિયા હોટેલ્સ લિમિટેડ –  ઇઆઇએચએલ EIHL – (ઓબેરોય ગ્રુપ ઑફ હોટેલ્સ) ભારતીય હોટેલ ઉદ્યોગની અગ્રિમ લક્ઝરી હોટેલ શૃંખલાઓ તરીકે પ્રસિદ્ધિ પામી છે. એમ એસ ઓબેરોય તરીકે જાણીતા રાય બહાદુર મોહન સિંઘ ઓબેરોય પંજાબના એક નાનકડા ગામમાં જન્મ્યા અને આપબળે ભારતના અગ્રણી ઓબેરોય લક્ઝરી હોટેલ ચેઇનના મહારથી બન્યા.

‘અનુપમા’ના આજના લેખમાં આપણે રાય બહાદુર મોહન સિંઘ ઓબેરોયની અવિરત  સંઘર્ષ ભરી જીવન ગાથા પર નજર નાખીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

ભારતીય ક્રિકેટના વિક્રમસર્જક મહારથીઓ: વિજય મર્ચન્ટ અને વિજય હઝારે

ભારતીય ક્રિકેટના મહારથીઓની યાદી સી. કે. નાયડુથી શરૂ થાય, તેમાં અનેક નામો ઉમેરાતાં જાય અને તે વર્તમાનમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સુધી લંબાય. વળી તેમાં રણજીતસિંહજી અને દુલિપસિંહજીને પણ સ્થાન મળે; ભલે રમ્યા ઇંગ્લેન્ડમાં પણ હતા તો ભારતીય! ભારતીય ટેસ્ટ ટીમના સર્વ પ્રથમ કેપ્ટન સી કે નાયડુ ભારતના મહાનતમ ક્રિકેટરોમાં એક હતા. તેમની વાત ક્યારેક કરવી છે.

આજે ક્રિકેટના બે સિતારા વિજય મર્ચન્ટ અને વિજય હઝારેની વાત કરીએ. સી કે નાયડુની ટૂંકી ટેસ્ટ કારકિર્દી પછી મર્ચંટ અને હઝારે – બંને ખેલાડીઓએ ક્રિકેટ જગતમાં ભારતનું નામ ગુંજતું રાખ્યું. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં વિશ્વભરના ક્રિકેટરોમાં બેટિંગ એવરેજમાં સર્વ પ્રથમ ઑસ્ટ્રેલિયાના સર ડૉન બ્રેડમેન આવે; તે પછી બીજા નંબરે ભારતના વિજય મર્ચંટ આવે તે વાત બહુ ઓછા જાણે છે. ભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,000 રનથી વધુ રન કરનાર ખેલાડીઓની બેટિંગ એવરેજમાં વિજય મર્ચન્ટ પ્રથમ સ્થાને છે; માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ તેમની પાછળ છે.

આવો, ‘અનુપમા’ના આજના લેખમાં એક જમાનામાં ભારતીય ક્રિકેટના મહારથી રહેલા વિજય મર્ચન્ટ તથા વિજય હઝારેની ઝમકદાર કારકિર્દીની જાણી-અજાણી વાતોને યાદ કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

મુંબઈનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ – ડૉક્ટર ભાઉ દાજી લાડ મ્યુઝિયમ

મુંબઈના ભાયખલા વિસ્તારમાં શહેરનું સૌ પ્રથમ અને દેશનું ચોથું મ્યુઝિયમ આવેલું છે. હાલ ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ’ તરીકે જાણીતું આ મ્યુઝિયમ અગાઉ ‘વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ’ તરીકે ઓળખાતું હતું. ભાયખલાના જિજામાતા ઉદ્યાન (અગાઉ વિક્ટોરિયા ગાર્ડન્સ કે રાણી બાગ) માં સ્થિત મુંબઈનું સૌથી પ્રાચીન સંગ્રહાલય ‘ભાઉ દાજી લાડ મ્યુઝિયમ’ કલાના બેનમૂન નમૂનાઓ સાથે મુંબઈના ઇતિહાસને પ્રદર્શિત કરે છે.

આ મ્યુઝિયમનાં મૂળમાં મુંબઈના તત્કાલીન ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટન દ્વારા 1855માં સ્થપાયેલ ‘સેન્ટ્રલ મ્યુઝિયમ ઑફ નેચરલ હિસ્ટ્રી, ઇકોનોમી, જીઓલોજી, ઇન્ડસ્ટ્રી એન્ડ આર્ટ્સ’ હતું.

બ્રિટીશ અમલદારોના માર્ગદર્શનમાં 1872માં સ્થપાયેલ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમને માટે ફંડ ઊભું કરવામાં મુંબઈના અગ્રણી મહાજનો જગન્નાથ શંકરશેઠ, ડૉ ભાઉ દાજી લાડ, સર જમસેત્જી જીજીભોય (જમશેદજી જીજીભાઈ બેરોનેટ), ડેવિડ સાસુન વગેરેનો સહયોગ હતો.

ગોવામાં જન્મેલા અને મુંબઈમાં ઉછરેલા ડૉક્ટર ભાઉ દાજી લાડ ગ્રાન્ટ મેડિકલ કોલેજ (જીએમસી, બોમ્બે) ની પ્રારંભિક બેચના પદવીધારી ડૉક્ટર હતા. 1850માં મેડિસિનની ડિગ્રી મેળવી ડૉ ભાઉ દાજી લાડે 1851માં ફિઝિશિયન તરીકે તબીબી પ્રેક્ટિસ શરૂ કરી. તેમને શિક્ષણ અને આયુર્વિદિક સંશોધન ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતો, લખાણો, સિક્કાઓ આદિમાં ઊંડો રસ હતો. વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમની સ્થાપના અર્થે તેમણે અથાક પ્રયત્નો કર્યા હતા.

મુંબઈના આ મહાન સેવાભાવી ડોક્ટરની સેવાઓની કદર અર્થે 1975માં મુંબઈના સૌથી પહેલા સંગ્રહાલય વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનું નામ બદલીને ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ મુંબઈ સીટી મ્યુઝિયમ’ રાખવામાં આવ્યું.

વાચકમિત્રો! ‘અનુપમા’ના આજના લેખમાં ભાઉ દાજી લાડ મ્યુઝિયમ પર એક નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રણેતા હીરાલાલ સેન: બંગાળના અર્ધ-અજાણ્યા ફિલ્મ સર્જક

સિનેમા ઉદ્યોગના ઇતિહાસમાં નવા ચીલા ચાતરનાર ઘણા સર્જકોને યથોચિત પ્રસિદ્ધિ મળી નથી. ફિલ્મ ઉદ્યોગના વિકાસની ઘણી કડીઓ જળવાઈ નથી. પરિણામે મુવિ કેમેરા અને ચલચિત્ર નિર્માણની પ્રારંભિક ટેકનિક વિકસાવનાર કેટલાક શોધકો અને નિર્માતાઓ ગુમનામીમાં ગર્ત રહ્યા છે.

જે રીતે વિશ્વના સિનેમા ઉદ્યોગના ઉદયકાળે પાયાનું યોગદાન આપનાર એડવર્ડ માયબ્રિજ તથા લુઇ લિ પ્રિન્સ જોઈતી પ્રસિદ્ધિ ન પામી શક્યા, તે રીતે ભારતીય સિનેમા ઉદ્યોગના પ્રારંભકાળે અમૂલ્ય ફાળો આપનાર હીરાલાલ સેન પણ ઉચિત શ્રેય અને યશ ન પામી શક્યા.

હીરાલાલ સેન (1866-1917) ભારતીય સિનેમાના એક સમર્થ પ્રણેતા અને સિદ્ધહસ્ત ફિલ્મ મેકર હતા. બ્રિટીશ રાજમાં બંગાળના કલકત્તા (કોલકતા) ના હીરાલાલ સેન હિંદુસ્તાનના ફિલ્મ ઇતિહાસમાં અનોખી કેડીઓ કંડારનાર હતા. હીરાલાલ સેનજીએ સ્ટેજ પરના ‘લાઇવ કાર્યક્રમ’ની દેશની પ્રથમ ફિલ્મ બનાવી અને ભારતની સૌ પ્રથમ ફિલ્મ કંપની ‘રોયલ બાયોસ્કોપ કંપની’ની સ્થાપના કરી. હીરાલાલ સેને ભારતની સૌ પહેલી રાજકીય દસ્તાવેજી ફિલ્મ (પોલિટિકલ ફિલ્મ) નું નિર્માણ કર્યું અને દેશની સર્વ પ્રથમ એડવટાઇઝિંગ ફિલ્મ સુપ્રસિદ્ધ ‘જબાકુસુમ’ હેર ઓઇલ માટે બનાવી.

ભારતના ફિલ્મ ઇતિહાસમાં દાદાસાહેબ ફાળકેને જે જ્વલંત પ્રતિષ્ઠા મળી છે, કદાચ તેવી પ્રસિદ્ધિના હકદાર હીરાલાલ સેન પણ બન્યા હોત. પણ રે ભાગ્યના ખેલ! આજે આપણી પાસે તેમની સર્જન કલાનો કોઈ પુરાવો બચ્યો નથી. 1917માં હીરાલાલ સેનની ફિલ્મ કંપની રોયલ બાયોસ્કોપ કંપનીના વેરહાઉસમાં લાગેલી આગની ઝપેટમાં તેમની ફિલ્મ કૃતિઓ રાખ બની ગઈ! આ દુ:ખદ ઘટના પછી બે જ દિવસમાં આ મહાન સર્જક દુનિયાને અલવિદા કહી ગયા!

‘અનુપમા’ના આજના લેખમાં ચલચિત્ર ઉદ્યોગના વિકાસના સંદર્ભમાં ભારતીય ફિલ્મ ઇતિહાસમાં હીરાલાલ સેનના યોગદાનને મૂલવીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

ભારતીય ટેસ્ટ ક્રિકેટના આરંભનો રોમાંચક ઇતિહાસ

ભારતમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય રમત રહી છે. અંગ્રેજ હકૂમતે ક્રિકેટનો ઉપયોગ કુનેહપૂર્વક પોતાના સ્વાર્થી હેતુઓ માટે કર્યો હતો તેમ કહેવું ખોટું નથી. ક્રિકેટની રમતમાં રસ લેનાર હિંદુસ્તાની પ્રજામાં બૉમ્બે (મુંબઈ) ની પારસી કોમ અગ્રેસર હતી. પારસી પ્રજા વ્યાપાર ઉદ્યોગમાં સફળ થઈ, સમાજમાં મોભાદાર બની, વળી  બ્રિટીશ રાજમાં વગદાર પણ બની. યુરોપિયનોના પ્રભાવ નીચે પરિવર્તન પામતાં મુંબઈમાં પારસીઓ પર અંગ્રેજી રહેણીકરણીની ગાઢી અસર પડી.

મુંબઈમાં પારસી ક્રિકેટ ક્લબ આંતરરાષ્ટ્રીય ધોરણે નામ કાઢનાર પ્રથમ હિંદુસ્તાની ક્રિકેટ ક્લબ હતી. પારસી ક્લબના પગલે બ્રિટીશ હિંદુસ્તાનમાં ક્રિકેટની રમત પ્રસાર પામી. બૉમ્બે પ્રેસિડેન્સી મેચોથી આગળ વધી ટ્રાઇએન્ગ્યુલર, ક્વોડ્રેન્ગ્યુલર અને પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ્સ યોજાતી થઈ તેનો ઉચિત શ્રેય પારસીઓને આપવો ઘટે. પ્રેસિડેંસી મેચ તથા ટ્રાઇએંગ્યુલર બૉમ્બે ટુર્નામેન્ટ્સ ભારતને ટેસ્ટ પ્રવેશ સુધી લઈ જવામાં મદદરૂપ બની. અંગ્રેજ શાસન નીચે હોવાથી સ્વાભાવિક રીતે ભારત તેની સૌ પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ સામે રમ્યું.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ પ્રવેશે ભારત 1932માં ઇંગ્લેન્ડમાં એક ટેસ્ટ મેચ રમ્યું. પછી 1933-34માં ઇંગ્લેંડ ભારતના પ્રવાસે આવ્યું અને ત્રણ ટેસ્ટ મેચો રમ્યું.

આવો, ‘અનુપમા’ના આજના લેખમાં ભારતના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના આરંભની રોમાંચક કહાણીઓ પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે ]

વિસરાતી વાતો

ગુજરાતની સેવા કરનાર પ્રથમ મહિલા ડોક્ટરો: મોતીબાઈ કાપડિયા અને રુખમાબાઈ રાઉત

આજથી 130 વર્ષ પહેલાં ગુજરાતમાં મહિલા ડૉકટરની કલ્પના કરવી મુશ્કેલ હતી. તે સમયે, જ્યારે સ્ત્રી ઘરની બહાર નીકળી શકતી ન હતી ત્યારે, સ્ત્રીશિક્ષણની તો વાત જ શી કરવી! આવા જમાનામાં, ઓગણીસમી સદીના અંતમાં, ગુજરાતમાં બે સ્ત્રી ડૉક્ટરો આવી વસ્યા અને તેમણે ગુજરાતની મહિલાઓની ખૂબ સેવા કરી.

ગુજરાતમાં સ્ત્રીઆરોગ્ય સેવાના શ્રીગણેશ કરનાર આ બે મહિલા ડોક્ટરો હતા ડૉ મોતીબાઈ કાપડિયા અને ડૉ રુખમાબાઈ રાઉત.

આપે 19મી સદીના અંતમાં હિંદુસ્તાનના સ્ત્રી સમાજમાં જાગૃતિ આણી, સ્ત્રીશિક્ષણની જ્યોત જગાવનાર પંડિતા રમાબાઈ સરસ્વતી, આનંદીબાઈ ગોપાલરાવ જોશી અને કાદંબિની ગાંગુલીની કહાણીઓ વાંચી છે.

હિંદુસ્તાનની પ્રથમ બે પ્રસિદ્ધ મહિલા તબીબો ડૉ આનંદી ગોપાલ જોશી અને ડૉ કાદંબિની ગાંગુલીએ સ્ત્રી સશક્તિકરણ – વિમેન એમ્પાવરમેંટ – નો પાયો નાખ્યો. તેમનાં પગલે રુખમાબાઈ રાઉત, મોતીબાઈ કાપડિયા અને અન્ય અસંખ્ય સ્રીઓને સમાજમાં આગળ વધવાની પ્રેરણા મળી.

ગુજરાતમાં મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે અમૂલ્ય સેવા પ્રદાન કરનાર ડૉક્ટર મોતીબાઈ કાપડિયા અને ડૉકટર રુખમાબાઈ રાઉતને ગુજરાતી સ્ત્રી સમાજ હંમેશા યાદ કરશે. તેમણે અમદાવાદ, સુરત અને રાજકોટમાં તબીબી સેવાઓ આપી.

‘અનુપમા’ના આજના લેખમાં ગુજરાતમાં સેવા આપનાર સૌ પ્રથમ મહિલા ડૉક્ટરો મોતીબાઈ કાપડિયા અને રુખમાબાઈ રાઉતનો આછો પરિચય મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

ગુજરાતી રંગભૂમિના અમૃત કેશવ નાયક અને પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ ગાયિકા ગૌહર જાન

જૂની ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં અમદાવાદના અમૃત કેશવ નાયકનું વિશેષ સ્થાન છે.

ઓગણસમી સદી-વીસમી સદીના સંધિ કાળે અમૃત કેશવ નાયક ગુજરાતી નાટ્યકાર અને નવલકથાકાર તરીકે ચમકી ગયા. માંડ ત્રીસેક વર્ષનું આયુષ્ય ભોગવનાર અમૃત નાયક ગુજરાતી તથા ઉર્દુ ભાષાના સાહિત્યક્ષેત્રે અનોખી છાપ છોડી ગયા.

અમૃત નાયકને તત્કાલીન હિંદુસ્તાનનાં વિખ્યાત ગાયિકા ગૌહર જાન (ગોહર જાન) સાથે અંતરંગ સંબંધો હતા. ગૌહર જાન એ ગાયક કલાકારોમાંથી એક હતાં જેમના અવાજમાં હિંદુસ્તાનમાં 78 આરપીએમ ગ્રામોફોન રેકોર્ડના રેકોર્ડિંગનો આરંભ થયો. વર્ષ 1902-03 ના ગાળામાં ગ્રામોફોન કંપની (પાછળથી ગ્રામોફોન કંપની ઓફ ઇંડિયા) એ જે પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ્સ માર્કેટમાં મૂકી, તેમાં ગૌહર જાનના શાસ્ત્રીય કંઠ્યસંગીતની રેકોર્ડ હતી. આમ, ગૌહર જાન ભારતનાં પ્રથમ ‘રેકોર્ડિંગ સ્ટાર’ ગાયિકા.  

આવો, આજે ‘અનુપમા’ પર ગુજરાતના નાટ્યકાર-સાહિત્યકાર અમૃત કેશવ નાયક તથા હિંદુસ્તાની ગાયિકા-નર્તકી ગૌહર જાનની અર્ધ-અજાણી વાતો પર નજર નાખીએ.

 [આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

મુક્તપંચિકા · વિસરાતી વાતો

અનુપમા: વીતેલા સમયની કેટલીક રસપ્રદ પોસ્ટ્સ

  ‘અનુપમા’ બ્લૉગ પર ભૂતકાળમાં પ્રકાશિત કેટલીક રસપ્રદ પોસ્ટ્સની લિંક નીચે આપેલ છે. આપને તે પોસ્ટ્સ વાંચવી જરૂર ગમશે. ધન્યવાદ! ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ દવે અને દાદાસાહેબ ફાળકે  શેઠ કસ્તુરભાઈ લાલભાઈ સુરતના સવિતાનારાયણ ગણપતિનારાયણ ઇન્ડિયાના જોન્સ, સ્ટંટબાજી,  હોલિવુડ અને બોલિવુડ ગુજરાતી રંગભૂમિ

વિસરાતી વાતો · સમાચાર

મુંબઈની ગિલ્બર્ટ હિલ: વિશ્વનો એક પ્રાચીનતમ ખડક ભારતમાં

મુંબઈમાં વિશ્વના સૌથી પ્રાચીન ખડકોમાંથી એક ખડક ગિલ્બર્ટ હિલ છે.

મુંબઈના અંધેરીમાં ગિલ્બર્ટ હિલ આશરે સાડા છ કરોડ વર્ષ પહેલાં રચાઈ હોવાની ધારણા છે. ગિલ્બર્ટ હિલ વિશિષ્ટ પ્રકારનો પ્રાચીન કોલમર જોઇન્ટિંગ પ્રકારનો રૉક કે ખડક છે. ભારતમાં આ પ્રકારનો અન્ય કોઈ ખડક આટલો પુરાણો નથી.

આવા પ્રાચીન કોલમર જોઇન્ટિંગ ધરાવતા જાણીતા ત્રણ રૉક પર આપણે નજર નાખીએ: એક ભારતમાં એક માત્ર ગિલ્બર્ટ હિલ, અન્ય બે અમેરિકામાં ડેવિલ્સ પોસ્ટપાઇલ (કેલિફોર્નિયા) અને ડેવિલ્સ ટાવર (વાયોમિંગ).

ભારતની આર્થિક રાજધાની મુંબઈના સબર્બ પશ્ચિમ અંધેરીમાં ગિલ્બર્ટ હિલ આવેલ છે. તે અંધેરી સ્ટેશનથી માત્ર દોઢ બે કિલોમીટર દૂર પશ્ચિમમાં સ્થિત છે. ગિલ્બર્ટ હિલ ટેકરી નથી; તે આશરે 61 મીટર ઊંચો એક વિશાળકાય ખડક-સ્તંભ  છે. એક જ ખડકના સળંગ એક જ પથ્થરનો બનેલો હોવાથી તેને મોનોલીથ કોલમ કહી શકાય.

ગિલ્બર્ટ હિલ વિશ્વના પ્રાચીનતમ ખડકો પૈકી એક  છે. લાખો વર્ષો પહેલાં જ્વાળામુખીના લાવા ઠરવાથી બનેલ ગિલ્બર્ટ હિલ એક બાસાલ્ટ ખડક છે. ગિલ્બર્ટ હિલની ઉંમર આશરે 65 મિલિયન વર્ષની મનાય છે. યુગ-યુગથી કાળની થપેટો ઝીલી રહી તે અડીખમ ઊબી રહી શકી છે તે આશ્ચર્યની વાત છે.

જીયોલોજી – ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ ભારતમાં  બેજોડ એવી ગિલ્બર્ટ હિલની ગણના દુનિયાના સૌથી જૂના ખડકોમાં થાય છે.  મુંબઈની આ કહેવાતી ટેકરી (હિલ) હકીકતમાં આશરે બસો ફૂટ ઊંચો બાસાલ્ટિક ખડક છે, એક મોનોલીથ સ્તંભ છે. કાળની થપેટોને ઝીલતી રહેલી ગિલ્બર્ટ હિલની ટોચે ગાંવદેવી – દુર્ગા માતાના મંદિર પ્રખ્યાત છે.

આવો, ‘અનુપમા’ પર આજે ગિલ્બર્ટ હિલ સંબંધી વિસ્મયકારી વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો

વિશ્વપ્રસિદ્ધ અંગકોર વાટના મંદિરના ઇતિહાસને પ્રકાશિત કરતી લિડાર ટેકનોલોજી

દુનિયાનું સૌથી વિશાળ અને ભવ્યતમ ધાર્મિક સ્થાન કંબોડિયા દેશનું અંગકોર વાટનું મંદિર છે. દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલ કંબોડિયા (કાંપુચિયા/ ખ્મેર રિપબ્લિક) દેશનું અંગકોર વાટનું મંદિર તેની બેનમૂન શિલ્પ-સ્થાપત્યકલાને લીધે વિશ્વની સ્થાપત્ય અજાયબીઓમાં સ્થાન પામે છે.

પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સાઉથ ઇસ્ટ એશિયાના મ્યાનમાર, થાઇલેંડ, કંબોડિયા, મલયેશિયા, ઇન્ડોનેશિયા અને અન્ય દેશો સુધી વિસ્તરેલો હતો.

હજારેક વર્ષ પહેલાં સાઉથ ઇસ્ટ એશિયામાં એક સામ્રાજ્ય ‘ખ્મેર એમ્પાયર’ અતિ શક્તિશાળી અને વિસ્તૃત રાજ્ય વિકસ્યું હતુ. ખ્મેર સામ્રાજ્યની સ્થાપના હિંદુ ધર્મ પાળતા ખ્મેર રાજાઓએ કરી. બારમી સદીમાં ખ્મેર રાજા સૂર્યવર્મન બીજાએ સામ્રાજ્યના કેન્દ્ર સમા નગર અંગકોરમાં હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ ભવ્ય વિષ્ણુ મંદિર બનાવ્યું. અંગકોર વાટના વિષ્ણુ મંદિરને બસોએક વર્ષ પછી બૌદ્ધ મંદિર બનાવવામાં આવ્યું. પંદરમી સદીમાં ખ્મેર સામ્રાજ્યની પડતી પછી અંગકોર વાટનું મંદિર ઘનઘોર જંગલોમાં ખોવાઈ ગયું. પુરાતત્ત્વવિજ્ઞાનીઓના અથાક પ્રયત્નોથી પુરાણા અંગકોરના 400 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા અવશેષોને શોધી કાઢવામાં આવ્યાં છે. આર્કિયોલોજી અને લિડાર ટેકનોલોજીની કમાલથી આજે અંગકોર વાટના હિંદુ-બૌદ્ધ મંદિરને તેના ભવ્ય સ્થાપત્ય સાથે પુન: પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. આવો, લિડાર ટેકનોલોજીએ પ્રકાશિત કરેલ અંગકોર વાટ મંદિરની કથાને ‘અનુપમા’ પર જાણીએ. [આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

વિસરાતી વાતો

પંડિતા રમાબાઈ સરસ્વતી: ભારતમાં મહિલા સશક્તિકરણનાં પથદર્શક

  રમાબાઈના જન્મ પૂર્વે હિંદુસ્તાન સાયન્સ અને ટેકનોલોજીના સહારે આજે આપણે એવા જીવનસ્તર પર પહોંચ્યા છીએ કે આજથી બસો –ત્રણસો વર્ષ પહેલાના બંધિયાર સમાજની કલ્પના પણ ન થઈ શકે! શિક્ષણ કે કેળવણીના પૂરા પાયા નખાયા ન હતા!  શું યુરોપ – અમેરિકા કે શું હિંદુસ્તાન, ક્યાંય મહિલા સશક્તિકરણ કે વિમેન એમ્પાવરમેંટ તો શું, મહિલા શિક્ષણનો વિચાર… Continue reading પંડિતા રમાબાઈ સરસ્વતી: ભારતમાં મહિલા સશક્તિકરણનાં પથદર્શક

વિસરાતી વાતો

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના મહેમાન ઇંગ્લેન્ડના પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ

. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સંસ્કારનગરી વડોદરાનું નામ સાંભળતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, મહાયોગી શ્રી અરવિંદ, એમ એસ યુનિવર્સિટી તથા મહારાજાનો રાજમહેલ લક્ષ્મીવિલાસ પેલેસ અચૂક યાદ આવે. ભવ્ય લક્ષ્મીવિલાસ પેલેસ ઇંગ્લેન્ડના રાજવી પરિવારના બકિંગહામ પેલેસ (લંડન) કરતાં ચાર ગણો મોટો છે. સત્તરમી સદીમાં વડોદરા પર મોગલ સામ્રાજ્યની આણ હતી. 1721માં મરાઠા સરદાર પિલાજીરાવ ગાયકવાડે… Continue reading વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના મહેમાન ઇંગ્લેન્ડના પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ

ગુજરાત · વિસરાતી વાતો

મુંબઈના અગ્રણી દાનવીર પારસી વેપારી જમશેદજી જીજીભાઈ

  સર જમશેદજી જીજીભાઇ (સર જમશેત્જી જીજીભોય / જમશેતજી જીજીભોય) નું નામ મુંબઈના પરોપકારી, દાનેશ્વરી, પારસી વેપારીઓમાં પ્રથમ હરોળમાં આવે. ઓગણીસમી સદીના ઉદયકાળે જમશેદજી જીજીભાઈએ  પોતાનાં વહાણો ખરીદી ઠેઠ ચીન સુધી વ્યાપાર વિકસાવ્યો અને મુંબઈના પહેલા લખપતિઓમાં સ્થાન મેળવ્યું તે એક ગુજરાતીની મોટી સિદ્ધિ કહેવાય. જમશેદજી જીજીભાઈએ ઉદાર સખાવતો કરી મુંબઈ શહેરમાં સમાજકલ્યાણનાં કાર્યો કર્યાં,… Continue reading મુંબઈના અગ્રણી દાનવીર પારસી વેપારી જમશેદજી જીજીભાઈ

ગુજરાત · વિસરાતી વાતો

ભારતમાં વ્યાપાર – ઉદ્યોગના પ્રણેતા ગુજરાતી પારસીઓ: વાડિયા પરિવાર અને શિપિંગ ઉદ્યોગ

ભારતમાં વેપાર – ઉદ્યોગ ક્ષેત્રે પારસીઓનું યોગદાન ભારતમાં વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે પારસીઓનું પ્રદાન અણમોલ લેખાય છે. પારસીઓ ઇરાનથી આવીને ગુજરાતમાં વસ્યા. આ ગુજરાતી પારસીઓએ ઝોરોસ્ટ્રિયન ધર્મની સુવાસ હિંદુસ્તાનભરમાં ફેલાવી. સુરત (દક્ષિણ ગુજરાત) અને મુંબઈમાં પારસીઓએ વેપાર – ઉદ્યોગના પાયા નાખ્યા. ટાટા, ગોદરેજ, વાડિયા, પીટિટ અને જીજીભોય પરિવારના પારસીઓએ ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રે અમૂલ્ય ફાળો… Continue reading ભારતમાં વ્યાપાર – ઉદ્યોગના પ્રણેતા ગુજરાતી પારસીઓ: વાડિયા પરિવાર અને શિપિંગ ઉદ્યોગ