વિજ્ઞાન · સમાચાર

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગ

વિશ્વમાં અનેકવિધ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઉપયોગિતા સિદ્ધ થતી જાય છે.

અમેરિકા અને ચીન જેવા દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્ત્વ પારખી ચૂક્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ‘ઇન્ટેલિજન્ટ’ મશીનનાં પ્યાદાંઓથી આવતી કાલની દુનિયાના સુપર પાવર નિર્મિત થવાની શક્યતાઓ નકારી ન શકાય. જો અમેરિકા-ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની હોડમાં ઉતર્યા હોય, તો ભારત શા માટે પાછળ રહે?

ભારત પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ના વ્યાવહારિક ઉપયોગો માટે સજ્જ થઈ રહ્યું છે.

દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એપ્લિકેશન્સ ઇ-કોમર્સ, ટેલિકોમ, હેલ્થકેર, એગ્રીકલ્ચર, એજ્યુકેશન, એન્ટરટેઇનમેન્ટ, કમ્મ્યુનિકેશન, ડિફેન્સ, ટ્રાંસ્પોર્ટેશન, ઇન્ફર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વ્યાપક બનતી જાય છે, જ્યારે ભારતમાં મુખ્યત્વે હેલ્થકેર, એગ્રીકલ્ચર અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં તે વિશેષ પ્રચલિત છે. જો કે ભારતમાં એમેઝોન જેવી મલ્ટિનેશનલ કંપનીઓ સાથે ઇન્ફોસિસ તથા રિલાયંસ જેવી કંપનીઓ પણ એઆઇ ટેકનોલોજીને અપનાવી રહી છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે.

બિગ ડેટા, ક્લાઉડ ટેકનોલોજી, મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ન્યુરાલ નેટવર્ક ત્વરાથી વિશ્વ પર છવાતાં  ભારત સરકાર તેમજ દેશના પોલિસી કમિશન (નીતિ આયોગ) ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની અનિવાર્યતા સમજાઈ છે. ફેબ્રુઆરી 2018માં  દ્વારા ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનો નેશનલ પ્રોગ્રામ જાહેર થયો છે, જે અંતર્ગત એઆઇ ક્ષેત્રે સંશોધન પર વિશેષ ભાર મૂકાશે.

આવતા દસ વર્ષમાં બિગ ડેટા અને ક્લાઉડ ટેકનોલોજીએ આપણા જીવનને ભરડો લઈ લીધો હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ આપના રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ ભાગ જરૂર ભજવતા હશે. આપ યુવાન હો કે સિનિયર સિટિઝન, આપને દુનિયા સાથે તાલ મિલાવવા આ અદ્યતન ટેકનોલોજીથી વાકેફ રહેવું પડશે. દેશના બાળકોને અને યુવાનોને આ વિશે જાગૃત કરવાની આપણા સૌની ફરજ છે.

આવો, ‘અનુપમા’ના આજના અંકમાં વિશ્વમાં વિસ્તરતી એઆઇ ટેકનોલોજીના સ્કોપને સમજવા સાથે ભારતમાં એઆઇના સ્કોપનું મૂલ્યાંકન કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિસરાતી વાતો · સમાચાર

મુંબઈની ગિલ્બર્ટ હિલ: વિશ્વનો એક પ્રાચીનતમ ખડક ભારતમાં

મુંબઈમાં વિશ્વના સૌથી પ્રાચીન ખડકોમાંથી એક ખડક ગિલ્બર્ટ હિલ છે.

મુંબઈના અંધેરીમાં ગિલ્બર્ટ હિલ આશરે સાડા છ કરોડ વર્ષ પહેલાં રચાઈ હોવાની ધારણા છે. ગિલ્બર્ટ હિલ વિશિષ્ટ પ્રકારનો પ્રાચીન કોલમર જોઇન્ટિંગ પ્રકારનો રૉક કે ખડક છે. ભારતમાં આ પ્રકારનો અન્ય કોઈ ખડક આટલો પુરાણો નથી.

આવા પ્રાચીન કોલમર જોઇન્ટિંગ ધરાવતા જાણીતા ત્રણ રૉક પર આપણે નજર નાખીએ: એક ભારતમાં એક માત્ર ગિલ્બર્ટ હિલ, અન્ય બે અમેરિકામાં ડેવિલ્સ પોસ્ટપાઇલ (કેલિફોર્નિયા) અને ડેવિલ્સ ટાવર (વાયોમિંગ).

ભારતની આર્થિક રાજધાની મુંબઈના સબર્બ પશ્ચિમ અંધેરીમાં ગિલ્બર્ટ હિલ આવેલ છે. તે અંધેરી સ્ટેશનથી માત્ર દોઢ બે કિલોમીટર દૂર પશ્ચિમમાં સ્થિત છે. ગિલ્બર્ટ હિલ ટેકરી નથી; તે આશરે 61 મીટર ઊંચો એક વિશાળકાય ખડક-સ્તંભ  છે. એક જ ખડકના સળંગ એક જ પથ્થરનો બનેલો હોવાથી તેને મોનોલીથ કોલમ કહી શકાય.

ગિલ્બર્ટ હિલ વિશ્વના પ્રાચીનતમ ખડકો પૈકી એક  છે. લાખો વર્ષો પહેલાં જ્વાળામુખીના લાવા ઠરવાથી બનેલ ગિલ્બર્ટ હિલ એક બાસાલ્ટ ખડક છે. ગિલ્બર્ટ હિલની ઉંમર આશરે 65 મિલિયન વર્ષની મનાય છે. યુગ-યુગથી કાળની થપેટો ઝીલી રહી તે અડીખમ ઊબી રહી શકી છે તે આશ્ચર્યની વાત છે.

જીયોલોજી – ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ ભારતમાં  બેજોડ એવી ગિલ્બર્ટ હિલની ગણના દુનિયાના સૌથી જૂના ખડકોમાં થાય છે.  મુંબઈની આ કહેવાતી ટેકરી (હિલ) હકીકતમાં આશરે બસો ફૂટ ઊંચો બાસાલ્ટિક ખડક છે, એક મોનોલીથ સ્તંભ છે. કાળની થપેટોને ઝીલતી રહેલી ગિલ્બર્ટ હિલની ટોચે ગાંવદેવી – દુર્ગા માતાના મંદિર પ્રખ્યાત છે.

આવો, ‘અનુપમા’ પર આજે ગિલ્બર્ટ હિલ સંબંધી વિસ્મયકારી વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

સમાચાર

ઇકોનોમિક્સના આટાપાટામાં ‘મેરા ભારત મહાન’ની અર્થવ્યવસ્થા પર એક નજર

ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વ આતુરતાથી અવલોકી રહ્યું છે. ગ્લોબલાઇઝેશન પછી વર્લ્ડ ઇકોનોમીમાં ભારે પરિવર્તનો આવ્યાં છે. માર્કેટવ્યવસ્થાઓ જટિલ બનતાં આર્થિક વિકાસનાં પરિબળો બદલાતાં રહે છે. અર્થવ્યવસ્થા તથા આર્થિક વિકાસની ક્ષતિ રહિત અને સુયોગ્ય મૂલવણી અઘરી છે. અર્થવ્યવસ્થાની ‘તંદુરસ્તી’ને માપવાનાં માપદંડો અને ધોરણો વિશ્વની જુદી જુદી સંસ્થાઓ માટે અલગ અલગ છે. તેથી વૈશ્વિક અર્થવ્યવસ્થાઓને એક ત્રાજવે તોળવી શક્ય નથી, તો યે કેટલાંક પરિણામો ઊડીને આંખે વળગે છે.

દાયકાઓથી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વર્લ્ડ ઇકોનોમીના શિખરે બિરાજે છે.

1980 – 90 ના દાયકામાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નવો પ્રાણ ફુંકાયો, ત્યારે યુએસએ તથા યુએસએસઆર (સોવિયેટ યુનિયન) વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ ધરાવતા દેશો હતા. તે સમયે નોમિનલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આધારે લાર્જેસ્ટ વર્લ્ડ ઇકોનોમી તરીકે યુએસએ, યુએસએસઆર, જાપાન, વેસ્ટ જર્મની અને ફ્રાંસ પ્રથમ પાંચ ક્રમે હતાં.

વર્ષ 2000 પછી ચીનની આર્થિક પ્રગતિ તેજ બની. 2010માં વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં ચીન બીજા ક્રમે આવી ગયું. 2015ના વર્ષમાં વિશ્વની સૌથી મોટી પાંચ અર્થવ્યવસ્થાઓમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને યુનાઇટેડ કિંગ્ડમ (યુકે) ટોચના સ્થાને આવી ગયાં.

આ દરમ્યાન ભારતની આર્થિક પ્રગતિને પાંખો ફૂટી છે. ભારતનો આર્થિક વિકાસ ઘણાને આશાસ્પદ લાગે છે, ઘણાને નિરાશાજનક. બંને પક્ષે નિષ્ણાત અર્થશાસ્ત્રીઓના દાવા છે. કોની વાત સાચી માનવી? આમાં સામાન્ય વાચકે શું સમજવું?  એક જ થઈ શકે કે સાચા-ખોટા દાવાઓના વિવાદમાં ન પડવું. વાચકે સ્વયં અર્થશાસ્ત્રના પાયાના મુદ્દા પર નજર નાખવી અને જાતે જ આર્થિક ચિત્રને સમજવા પ્રયત્ન કરવો. આવો, ‘અનુપમા’ના આજના લેખમાં ભારતીય ઇકોનોમીનાં કેટલાંક પાસાંઓ નિહાળીએ. ભારતના સ્વાતંત્ર્ય દિન (15 ઑગસ્ટ) પૂર્વે ‘અનુપમા’નો આ લેખ વાંચી આપ પણ કહેશો: ‘મેરા ભારત મહાન’.

[આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો.– હરીશ દવે]

વિજ્ઞાન · સમાચાર

હાઇ એનર્જી પાર્ટિકલ ન્યુટ્રીનો પર સંશોધન માટે ભારતમાં ન્યુટ્રીનો ઑબ્ઝર્વેટરી

બ્રહ્માંડનાં રહસ્યો ઉકેલવા માનવી યુગોથી મથતો રહ્યો છે. સામાન્ય માનવ માટે તો શું, ફિલોસોફર અને વૈજ્ઞાનિક માટે પણ બ્રહ્માંડ એક અજીબ પહેલી બની રહ્યું છે. બ્રહ્માંડની ઉત્પત્તિ શી રીતે થઈ?બ્રહ્માંડનાં મૂળભૂત તત્ત્વો કયાં? યુનિવર્સનાં એલિમેન્ટરી પાર્ટિકલ કયાં? વિજ્ઞાન આગળ વધતું જાય છે; પ્રશ્નો ઓર ગુંચવાતા જાય છે. “તે શું છે?” પ્રશ્નનો જવાબ મેળવવામાં આપણને પ્રાચીન… Continue reading હાઇ એનર્જી પાર્ટિકલ ન્યુટ્રીનો પર સંશોધન માટે ભારતમાં ન્યુટ્રીનો ઑબ્ઝર્વેટરી

વિસરાતી વાતો

વિશ્વપ્રસિદ્ધ અંગકોર વાટના મંદિરના ઇતિહાસને પ્રકાશિત કરતી લિડાર ટેકનોલોજી

દુનિયાનું સૌથી વિશાળ અને ભવ્યતમ ધાર્મિક સ્થાન કંબોડિયા દેશનું અંગકોર વાટનું મંદિર છે. દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલ કંબોડિયા (કાંપુચિયા/ ખ્મેર રિપબ્લિક) દેશનું અંગકોર વાટનું મંદિર તેની બેનમૂન શિલ્પ-સ્થાપત્યકલાને લીધે વિશ્વની સ્થાપત્ય અજાયબીઓમાં સ્થાન પામે છે.

પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ સાઉથ ઇસ્ટ એશિયાના મ્યાનમાર, થાઇલેંડ, કંબોડિયા, મલયેશિયા, ઇન્ડોનેશિયા અને અન્ય દેશો સુધી વિસ્તરેલો હતો.

હજારેક વર્ષ પહેલાં સાઉથ ઇસ્ટ એશિયામાં એક સામ્રાજ્ય ‘ખ્મેર એમ્પાયર’ અતિ શક્તિશાળી અને વિસ્તૃત રાજ્ય વિકસ્યું હતુ. ખ્મેર સામ્રાજ્યની સ્થાપના હિંદુ ધર્મ પાળતા ખ્મેર રાજાઓએ કરી. બારમી સદીમાં ખ્મેર રાજા સૂર્યવર્મન બીજાએ સામ્રાજ્યના કેન્દ્ર સમા નગર અંગકોરમાં હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ ભવ્ય વિષ્ણુ મંદિર બનાવ્યું. અંગકોર વાટના વિષ્ણુ મંદિરને બસોએક વર્ષ પછી બૌદ્ધ મંદિર બનાવવામાં આવ્યું. પંદરમી સદીમાં ખ્મેર સામ્રાજ્યની પડતી પછી અંગકોર વાટનું મંદિર ઘનઘોર જંગલોમાં ખોવાઈ ગયું. પુરાતત્ત્વવિજ્ઞાનીઓના અથાક પ્રયત્નોથી પુરાણા અંગકોરના 400 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા અવશેષોને શોધી કાઢવામાં આવ્યાં છે. આર્કિયોલોજી અને લિડાર ટેકનોલોજીની કમાલથી આજે અંગકોર વાટના હિંદુ-બૌદ્ધ મંદિરને તેના ભવ્ય સ્થાપત્ય સાથે પુન: પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. આવો, લિડાર ટેકનોલોજીએ પ્રકાશિત કરેલ અંગકોર વાટ મંદિરની કથાને ‘અનુપમા’ પર જાણીએ. [આપના સ્ક્રીન પર આ લેખ સંપૂર્ણ ન દેખાય, તો લેખના શીર્ષક (ટાઇટલ) પર ક્લિક કરશો. આભાર – હરીશ દવે]

વિસરાતી વાતો

પંડિતા રમાબાઈ સરસ્વતી: ભારતમાં મહિલા સશક્તિકરણનાં પથદર્શક

  રમાબાઈના જન્મ પૂર્વે હિંદુસ્તાન સાયન્સ અને ટેકનોલોજીના સહારે આજે આપણે એવા જીવનસ્તર પર પહોંચ્યા છીએ કે આજથી બસો –ત્રણસો વર્ષ પહેલાના બંધિયાર સમાજની કલ્પના પણ ન થઈ શકે! શિક્ષણ કે કેળવણીના પૂરા પાયા નખાયા ન હતા!  શું યુરોપ – અમેરિકા કે શું હિંદુસ્તાન, ક્યાંય મહિલા સશક્તિકરણ કે વિમેન એમ્પાવરમેંટ તો શું, મહિલા શિક્ષણનો વિચાર… Continue reading પંડિતા રમાબાઈ સરસ્વતી: ભારતમાં મહિલા સશક્તિકરણનાં પથદર્શક

વિસરાતી વાતો

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના મહેમાન ઇંગ્લેન્ડના પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ

. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સંસ્કારનગરી વડોદરાનું નામ સાંભળતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, મહાયોગી શ્રી અરવિંદ, એમ એસ યુનિવર્સિટી તથા મહારાજાનો રાજમહેલ લક્ષ્મીવિલાસ પેલેસ અચૂક યાદ આવે. ભવ્ય લક્ષ્મીવિલાસ પેલેસ ઇંગ્લેન્ડના રાજવી પરિવારના બકિંગહામ પેલેસ (લંડન) કરતાં ચાર ગણો મોટો છે. સત્તરમી સદીમાં વડોદરા પર મોગલ સામ્રાજ્યની આણ હતી. 1721માં મરાઠા સરદાર પિલાજીરાવ ગાયકવાડે… Continue reading વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના મહેમાન ઇંગ્લેન્ડના પ્રિન્સ આલ્બર્ટ એડવર્ડ

ગુજરાત · વિસરાતી વાતો

મુંબઈના અગ્રણી દાનવીર પારસી વેપારી જમશેદજી જીજીભાઈ

  સર જમશેદજી જીજીભાઇ (સર જમશેત્જી જીજીભોય / જમશેતજી જીજીભોય) નું નામ મુંબઈના પરોપકારી, દાનેશ્વરી, પારસી વેપારીઓમાં પ્રથમ હરોળમાં આવે. ઓગણીસમી સદીના ઉદયકાળે જમશેદજી જીજીભાઈએ  પોતાનાં વહાણો ખરીદી ઠેઠ ચીન સુધી વ્યાપાર વિકસાવ્યો અને મુંબઈના પહેલા લખપતિઓમાં સ્થાન મેળવ્યું તે એક ગુજરાતીની મોટી સિદ્ધિ કહેવાય. જમશેદજી જીજીભાઈએ ઉદાર સખાવતો કરી મુંબઈ શહેરમાં સમાજકલ્યાણનાં કાર્યો કર્યાં,… Continue reading મુંબઈના અગ્રણી દાનવીર પારસી વેપારી જમશેદજી જીજીભાઈ

ગુજરાત · વિસરાતી વાતો

ભારતમાં વ્યાપાર – ઉદ્યોગના પ્રણેતા ગુજરાતી પારસીઓ: વાડિયા પરિવાર અને શિપિંગ ઉદ્યોગ

ભારતમાં વેપાર – ઉદ્યોગ ક્ષેત્રે પારસીઓનું યોગદાન ભારતમાં વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે પારસીઓનું પ્રદાન અણમોલ લેખાય છે. પારસીઓ ઇરાનથી આવીને ગુજરાતમાં વસ્યા. આ ગુજરાતી પારસીઓએ ઝોરોસ્ટ્રિયન ધર્મની સુવાસ હિંદુસ્તાનભરમાં ફેલાવી. સુરત (દક્ષિણ ગુજરાત) અને મુંબઈમાં પારસીઓએ વેપાર – ઉદ્યોગના પાયા નાખ્યા. ટાટા, ગોદરેજ, વાડિયા, પીટિટ અને જીજીભોય પરિવારના પારસીઓએ ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રે અમૂલ્ય ફાળો… Continue reading ભારતમાં વ્યાપાર – ઉદ્યોગના પ્રણેતા ગુજરાતી પારસીઓ: વાડિયા પરિવાર અને શિપિંગ ઉદ્યોગ

ગુજરાત · News

ગુજરાતી વૈજ્ઞાનિક વિશાલ ગજ્જરનું ખગોળવિજ્ઞાનમાં અભૂતપૂર્વ સંશોધન

. ગુજરાતના નવયુવાન વૈજ્ઞાનિક ડૉ. વિશાલ ગજ્જર વિશ્વભરમાં નામના પામ્યા છે. બ્રહ્માંડનાં અજાણ્યાં સ્થાનોએથી આવતાં રહસ્યમય તરંગો ‘ફાસ્ટ રેડિયો બર્સ્ટ’ વિશે વિશાલભાઈનાં સંશોધન ખગોળવિજ્ઞાનમાં પ્રસિદ્ધિ પામ્યાં છે. ગુજરાતમાં બોટાદના વતની ડો. વિશાલ ગજ્જર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ / રેડિયો એસ્ટ્રોનોમીમાં રસ ધરાવે છે અને હાલ અમેરિકામાં બર્કલી સેટી રીસર્ચ સેન્ટર ખાતે પોસ્ટ ડૉક્ટરલ રીસર્ચ કરી રહ્યા છે.… Continue reading ગુજરાતી વૈજ્ઞાનિક વિશાલ ગજ્જરનું ખગોળવિજ્ઞાનમાં અભૂતપૂર્વ સંશોધન

ગુજરાત

બિલ્યન એક્ટ્સના ‘હીરો એવૉર્ડ’ વિજેતા અમદાવાદના ડ્રોન-સર્જક હર્ષવર્ધન ઝાલા

. ગુજરાતનું નામ વિશ્વમાં રોશન કરનાર અમદાવાદના કિશોર હર્ષવર્ધન ઝાલાનો પરિચય આપ ‘અનુપમા’ પર મેળવી ચૂક્યા છો. હર્ષવર્ધન ઝાલાએ માત્ર ચૌદ વર્ષની ઉંમરે ગુજરાત સરકારના  ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’ – 2017માં ગુજરાત સરકાર સાથે પાંચ કરોડના ‘એમઓયુ’ કર્યા તે તો આપ જાણો છો. હર્ષવર્ધન ઝાલાએ સ્વયં બનાવેલ લેન્ડ માઇન્સ ડિટેક્શન ડ્રોન પ્રત્યે વિશ્વના અગ્રણીઓનું ધ્યાન ખેંચાયું… Continue reading બિલ્યન એક્ટ્સના ‘હીરો એવૉર્ડ’ વિજેતા અમદાવાદના ડ્રોન-સર્જક હર્ષવર્ધન ઝાલા

News

માત્ર 14-વર્ષના ગુજરાતી વિદ્યાર્થીએ બનાવ્યો વિશ્વભરમાં અદ્વિતીય ડ્રોન

. માત્ર 14-વર્ષના ગુજરાતી વિદ્યાર્થીએ બનાવ્યો વિશ્વભરમાં અદ્વિતીય ડ્રોન . અમદાવાદની સ્કૂલમાં દસમા ધોરણમાં ભણતા હર્ષવર્ધન ઝાલાએ એક મલ્ટીપર્પઝ ડ્રોન બનાવીને વિશ્વના વિજ્ઞાન જગતમાં નામના મેળવી છે. હર્ષવર્ધન ઝાલાની શોધને ગુજરાત સરકારે તાજેતરની  જાન્યુઆરી 2017ની  ‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટ’માં વધાવી લીધી છે. ગુજરાતી કિશોર હર્ષવર્ધને બનાવેલ ડ્રોન જમીનમાં છુપાયેલ લેંડ માઇન્સને શોધી શકે છે અને તેને નિષ્ક્રિય કરી… Continue reading માત્ર 14-વર્ષના ગુજરાતી વિદ્યાર્થીએ બનાવ્યો વિશ્વભરમાં અદ્વિતીય ડ્રોન

મુક્તપંચિકા

ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર

. આ પોસ્ટનો હેતુ ગુજરાતી બ્લૉગિંગનો ઇતિહાસ લખવાનો નથી. ગુજરાતી નેટ જગતનો પૂરો ઇતિહાસ એટલો લંબાઈ જાય કે તે ઘણો સમય માગી લે. ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર આજે તો સમૃદ્ધિનો પાર નથી. અહીં આપણે ગુજરાતી નેટ જગતના ‘શિલારોપણ’ પર ઊડતી નજર નાખીશું. ગુજરાતી બ્લોગ જગતની આરંભયાત્રાનું મારી દ્રષ્ટિએ વિહંગાવલોકન માત્ર કરીશું. ગુજરાતી નેટ જગત પર… Continue reading ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર

વિસરાતી વાતો

આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા

. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતાનાં ધર્મપત્ની હંસાબહેન મહેતા હતાં. ભારે રૂઢિવાદી સમાજના જમાનામાં 1897માં તેમનો જન્મ, છતાં. તેમણે 1918માં ફિલોસોફી વિષય સાથે બીએની પરીક્ષા પાસ કરી. પત્રકારત્વના અભ્યાસ માટે હંસાબહેન ઇંગ્લેન્ડ ગયાં. સમાજમાં સ્ત્રીઓના સ્થાન માટે હંસાબહેન ચિંતિત હતાં અને હમેશા સ્ત્રીઓના વિકાસ માટે સક્રિય રહેતાં. 1920માં સ્વિટ્ઝરલેંડની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હંસાબહેન… Continue reading આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા

વિસરાતી વાતો

ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી

. અમે શાળામાં ભણતાં ત્યારે પ્રાર્થનાસભામાં ક્યારેક એક ભાવવાહી ભજન ગવાતું- રામ કહો, રહેમાન કહો કોઉ, કા’ન (કહાન) કહો, મહાદેવ રી, પારસનાથ કહો કોઉ બ્રહ્મ, સકલ બ્રહ્મ સ્વયમેવ હી . . … વર્ષો પછી ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં એક પુસ્તકમાં તે ભજન અને કવિ વિશે જાણ્યું કે તે ભજન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય હતું. તે… Continue reading ગુજરાતી સર્જક મહાત્મા આનંદઘનજી