.
મહાન ઉદ્યોગપતિ જે આર ડી ટાટા (જહાંગીર રતનજી દાદાભાઈ તાતા 1904 – 1993) ને રાષ્ટ્રનિર્માણમાં વિશિષ્ટ યોગદાન અને ઔદ્યોગિક ક્ષેત્રે અદ્વિતીય ફાળા માટે 1992માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા.
જે આર ડી ટાટા ભારતમાં હવાઈ સેવાઓ – એવિએશન ઇન્ડસ્ટ્રી – ના પ્રણેતા તરીકે આજે પણ આદર પામે છે. જે આર ડી ટાટાએ 1932માં ટાટા એરલાઈન્સના રૂપમાં ભારતની પ્રથમ એરલાઈન કંપનીની સ્થાપના કરી. પ્રારંભમાં તે કંપનીએ એર મેલ સેવા આપી અને પાછળથી તેની પેસેંજર હવાઈ સેવાઓ શરૂ થઈ. ટાટા એરલાઈન્સ 1946માં પબ્લિક લિમિટેડ કંપની બની અને એર ઇન્ડિયાના નવા નામે ઓળખાઈ.
આજે આપણે જે આર ડી ટાટાના ગુજરાતની રાજધાની અમદાવાદ સાથેના સંબંધને યાદ કરીએ.
પેરિસ (ફ્રાંસ)માં જન્મેલા જે આર ડી ટાટા પોતે કુશળ પાયલોટ હતા. ટાટા એરલાઈન્સના આરંભે જે આર ડી ટાટાએ સ્વયં Puss Moth એરક્રાફ્ટ ઉડાડ્યું હતું અને કરાચી – અમદાવાદ – મુંબઈ હવાઈ યાત્રા કરી હતી.
1932ની 15 ઓક્ટોબરના રોજ સિંગલ એંજિન Puss Moth એરોપ્લેન લઈ કરાંચી (હાલ પાકિસ્તાનમાં)થી નીકળી જે આર ડી ટાટા અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ હોલ્ટ કરી તેઓ મુંબઈ તરફ આગળ વધ્યા હતા. આખરે એરોપ્લેનને મુંબઈના જૂહુ એરોડ્રોમ પર ઉતારી જે આર ડી ટાટાએ કરાચી – અમદાવાદ – મુંબઈ હવાઈ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. * *
.
Hi,
JRD TATA sir is mine father’s favorite hero.
Actually we have different 4 books on this great industrial person.
Feeling happy to read about him here.
Really its great article.
-Niraj Jadawala
JRD Tata is from Parsi samaj.They have contributted a lot in Sub-Continent(Indo-Pak) in all the fields of Indutry,Business and in Gujarati Kitreture. I here refer Parsi like khabardar,behram malbari etc whu contributted in field of litreture. Since their arrival from Iran to India they have been so mixed in sub-continent that all respect them,they are peace loving and well educatted. I personally appreciate their policy in Indo-pak. My tribute to them..