સી. એન. વિદ્યાલય, અમદાવાદ તથા ગુજરાતી રંગભૂમિ

September 2, 2008

.

ગુજરાતના ભૂતકાલીન* પાટનગર અમદાવાદના સી.એન. વિદ્યાલયથી આપણે સુપરિચિત. પણ આ સંસ્કારધામનું નામ જે શ્રેષ્ઠીના શુભ નામ સાથે જોડાયેલ છે, તેમનાથી  કેટલા પરિચિત? આ વાત છે શેઠ ચીમનલાલ નગીનદાસની.

શેઠ ચીમનલાલ નગીનદાસ સંસ્કારપ્રેમી શ્રીમંત.

ઓગણીસમી સદીના અંતિમ દશકાની આ વાત. ત્યારે એક અમદાવાદીએ ગુજરાતમાં રંગભૂમિના વિકાસનાં સ્વપ્નાં સેવ્યાં હોય, તે વાત માની શકાય?

હા, અમદાવાદના ડાહ્યાભાઈ ધોળશાજીને અમદાવાદમાં ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓ વિકસાવવાનું ઘેલું લાગ્યું હતું.

તે જમાનામાં થિયેટર કે નાટકશાળાઓ ન હતી. ખુલ્લી જગ્યા કે વાડીમાં મંડપ બાંધી નાટક ભજવાતાં. ડાહ્યાભાઈ ધોળશાજીને ગુજરાતી રંગમંચના પછાતપણા પર લાગી આવતું. ગુજરાતી નાટક ભજવવા ગુજરાતમાં થિયેટરની વ્યવસ્થા ન હોય તે તેમને અસહ્ય લાગતું.

ડાહ્યાભાઈની વાત શેઠ ચીમનલાલ નગીનદાસના કાને પહોંચી.

આખરે  ડાહ્યાભાઈ ધોળશાજીએ શેઠ ચીમનલાલ નગીનદાસના સહયોગથી ઈ. સ. 1894માં ગુજરાતનું પહેલું પાકું થિયેટર “આનંદભુવન” અમદાવાદમાં ઘીકાંટા વિસ્તારમાં બનાવ્યું.

ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિઓના વિકાસમાં ડાહ્યાભાઈ ધોળશાજી અને શેઠ ચીમનલાલ નગીનદાસના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી રંગભૂમિ તેમની ઋણી છે.

Entry Filed under: વિસરાતી વાતો. Tags: , , , , , , , , , , , , , .

4 Comments Add your own

  • 1. Kartik Mistry  |  September 2, 2008 at 8:47 pm

    અમદાવાદ ગુજરાતનું પાટનગર નથી – ગાંધીનગર છે.

    Reply
  • 2. Niraj  |  September 2, 2008 at 9:06 pm

    saras mahiti..

    Reply
  • 3. હરીશ દવે  |  September 3, 2008 at 8:06 am

    અમદાવાદ પ્રત્યેના મમત્વને કારણે જે માહિતીદોષ મારી નજરમાથી છટકી ગયો, તે મિત્ર કાર્તિકની બાજ નજરથી ન બચી શક્યો. ધન્યવાદ,દોસ્ત! ભૂલ સુધારી લીધી છે.
    . . …. હરીશ દવે અમદાવાદ

    Reply
  • 4. manish shah  |  September 10, 2008 at 4:53 pm

    hi,

    Anupama,

    R u from C N Vidyalaya?

    manish shah

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

વિભાગ / સ્તંભ

તાજેતરની પોસ્ટ્સ

આપના પ્રતિભાવ

Dr.Sudhir Shah on આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મ…
હરીશ દવે on આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મ…
pravinash1 on વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈ…
વિશ્વદીપ બારડ on ભાવનગરની શામળદાસ કોલેજ
Junagadh City on ગાંધીજીના ભત્રીજા સામળદાસ ગાંધ…
Health Care Facts on ભારતરત્ન જે આર ડી ટાટા અને…
Junagadh District on ભારતનાં દેશી રજવાડાં અને સરદાર…

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

મુક્તપંચિકા

Blog Stats