ભારતનાં દેશી રજવાડાં અને સરદાર પટેલ
.
ઇસ 1947ની 15મી ઓગસ્ટના રોજ હિંદુસ્તાન સ્વતંત્ર થયું.
નવસર્જિત ભારત દેશમાં આશરે સાડા પાંચસો જેટલાં નાનાં-મોટાં રાજ્યો-રજવાડાં હતાં.
આપને નવાઇ લાગશે કે આ પૈકી ત્રણસો જેટલાં રજવાડાં ગુજરાત અને કાઠિયાવાડમાં હતાં. ગુજરાતમાં સૌથી મોટું રાજ્ય વડોદરાનું હતું. કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં જામનગર રાજ્ય પ્રભાવશાળી હતું.
તમે આ રાજ્ય-રજવાડાંનાં નામ સાંભળી નવાઈ પામશો: વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દાંતા, વાંસદા, ઇડર, પાલનપુર, રાધનપુર, ડીસા, લીમડી, મૂળી, લખતર, ચૂડા, માંગરોળ, માણાવદર, સરદારગઢ, છોટાઉદેપુર, દેવગઢબારિયા અને બીજાં અનેક …
15 ઓગસ્ટ, 1947નાં રોજ આ તમામ રાજ-રજવાડાં સ્વતંત્ર થયાં!
લોખંડી ગુજરાતી પુરૂષ સરદાર પટેલને ધન્યવાદ કે જેમણે દેશનાં આવાં સાડા પાંચસો રજવાડાંઓને ભારતમાં ભેળવ્યાં.
ગુજરાતના આ પનોતા પુત્ર સરદાર પટેલને સલામ!
Add comment April 30, 2008