ગુજરાતી રંગભૂમિ

March 18, 2008

.

ગુજરાતી રંગભૂમિના વિકાસના કેટલાક રસપ્રદ તબક્કાઓ છે.

ઇસ 1842માં મુંબઈમાં ગ્રાંટ રોડ પર રોયલ થિયેટર બંધાયું. 

મુંબઈના જગન્નાથ શંકર શેઠ નામે ધનપતિ ગુજરાતીએ તે બંધાવ્યું હોવાથી રોયલ થિયેટર શંકર શેઠની નાટક શાળા તરીકે ઓળખાયું. 

સાચું કહો તો, ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓના શ્રીગણેશ કરવાનો  શ્રેય ગુજરાત બહારના, મુંબઈના પારસીઓને જાય છે.

 મુંબઈના પારસી આગેવાનોએ સ્થાપેલ પારસી નાટક મંડળીએ ગુજરાતી રંગભૂમિની નાટ્યપ્રવૃત્તિઓને ત્વરાથી વિકસાવી. ગુજરાતી નાટ્યશાસ્ત્રના પ્રારંભિક તબક્કામાં નાટ્યલેખન, દિગ્દર્શન અને અભિનય ક્ષેત્રે પારસીઓની બોલબાલા હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (ગાંધીજી) નો જન્મ જે વર્ષમાં થયો, તે વર્ષ 1869માં કે. ખુશરૂ કાબરાજીની વિક્ટોરિયા નાટક મંડળીનું બેજન મનીજેહ નાટક ભારે સફળતાને વર્યું.

 પારસી નાટક મંડળીના નાટક રૂસ્તમ સોહરાબમાં કવિ દલપતરામનાં ગીતો હતાં.

ગુજરાતી લેખક નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવેનાં / નાટક પારસી નાટક કંપનીઓ ભજવતી. એક નાટ્યપ્રયોગ વખતે મુંબઈના ગુજરાતી મહેતાજીઓને પારસી નાટક કંપની સાથે મતભેદ થયો.

1878માં મુંબઈના ગુજરાતીઓએ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કરી.

આ નવોદિત ગુજરાતી નાટક મંડળીનો પહેલો નાટ્ય પ્રયોગ તે રણછોડભાઈ ઉદયરામ દવેનું લલિતાદુઃખદર્શક.

ગુજરાતી રંગમંચના મહાન કલાકાર જયશંકર સુંદરીએ  ગુજરાતી નાટક મંડળીમાં વર્ષો સુધી અભિનય આપ્યો. ગુજરાતી રંગભૂમિના વિકાસમાં જયશંકર સુંદરીનું યોગદાન અવિસ્મરણીય છે.

*  *  *  **  **

Entry Filed under: વિસરાતી વાતો. Tags: , , , , , , , , , , , , , , , , .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

વિભાગ / સ્તંભ

તાજેતરની પોસ્ટ્સ

આપના પ્રતિભાવ

u.k.parmar on ભાવનગરની શામળદાસ કોલેજ
u.k.parmar on ભારતનાં દેશી રજવાડાં અને સરદાર…
KANTILAL KARSHALA on વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈ…
kiran patel patidar on ભારતનાં દેશી રજવાડાં અને સરદાર…
KANTILAL KARSHALA on ભાવનગરની શામળદાસ કોલેજ
વિશ્વદીપ બારડ on ભાવનગરની શામળદાસ કોલેજ
hina ganatra on મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

મુક્તપંચિકા

Blog Stats