ગાંધીજીના ઠાકરશી કુટુંબના બંગલે ઉપવાસ

December 31, 2007

*

.મહાત્મા ગાંધી (ગાંધીજી)લંડન (ઇંગ્લેંડ) ની બીજી ગોળમેજી પરિષદ (Second Round Table Conference, London, England) ની નિષ્ફળતા પછી અંગ્રેજ સરકાર (બ્રિટીશ ગવર્ન્મેન્ટ) સામે હિંદુસ્તાનમાં અસરકારક લડત ઉપાડી.

અંગ્રેજ સરકારે દમનના જોરે લોક-જુવાળ કચડી નાખવા પ્રયત્નો આદર્યા. બ્રિટીશ સરકારે સભા-સરઘસો ઉપર પ્રતિબંધ મૂક્યા અને કોંગ્રેસની ઓફિસો અને કાર્યકર્તાઓની છાવણીઓ જપ્ત કરી.

1931ના જાન્યુઆરીની ચોથી તારીખે ગાંધીજી તથા સરદાર પટેલની ધરપકડ થઈ. ગાંધીજીના પૂના ખાતે યરવડા જેલનિવાસ દરમ્યાન ઘણી ઘટનાઓ ઘટી.

1931ની 18 એપ્રિલે હિંદુસ્તાનના અંગ્રેજ વાઇસરૉય તરીકે લોર્ડ વિલિંગ્ડનની નિમણૂક થઈ.

ગાંધીજી સોળ મહિના પૂનાની યરવડા જેલ (યેરવડા જેલ) માં રહ્યા. અંત્યજોને ઉત્તેજન આપી હિંદુ સમાજમાં ભાગલા પડાવતી અંગ્રેજ-કૂટનીતિને ગાંધીજી પારખી ગયા હતા. તેથી હરિજનપ્રશ્ન પર ગાંધીજીએ આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી.

1933ની આઠમી મેના રોજ “આત્મશુદ્ધિ” માટેના ગાંધીજીના ઉપવાસ શરૂ થયા.

આમરણ ઉપવાસના સંભવિત પરિણામોથી ગભરાઇને અંગ્રેજ સરકારે ગાંધીજીને તરત છોડી મૂક્યા. ગાંધીજીએ પૂના ન છોડવા નિર્ણય કર્યો. “અનુપમા”ના વાચકો જાણે છે કે પૂનામાં યરવડા જેલની સામે જ સર વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી) નો “પર્ણકુટી” (પર્ણકુટિ) બંગલો.

સર વિઠ્ઠલદાસના સ્વર્ગવાસ પછી લેડી પ્રેમલીલા ઠાકરશી (મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના ઉપકુલપતિ, 1951-1969) “પર્ણકુટી” બંગલામાં રહેતા.

મહાત્મા ગાંધીએ પોતાના એકવીસ દિવસના ઉપવાસ પ્રેમલીલા ઠાકરસીના બંગલામાં રહીને કર્યા. 29 મે, 1933ના રોજ ગાંધીજીના ઉપવાસ હેમખેમ પૂરા થયા ત્યારે દેશવાસીઓના જીવમાં જીવ આવ્યો.

* * * *

Entry Filed under: વિસરાતી વાતો. Tags: , , , , , , , , , , , , , , , , , , , .

3 Comments Add your own

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

વિભાગ / સ્તંભ

તાજેતરની પોસ્ટ્સ

આપના પ્રતિભાવ

Dr.Sudhir Shah on આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મ…
હરીશ દવે on આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મ…
pravinash1 on વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈ…
વિશ્વદીપ બારડ on ભાવનગરની શામળદાસ કોલેજ
Junagadh City on ગાંધીજીના ભત્રીજા સામળદાસ ગાંધ…
Health Care Facts on ભારતરત્ન જે આર ડી ટાટા અને…
Junagadh District on ભારતનાં દેશી રજવાડાં અને સરદાર…

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

મુક્તપંચિકા

Blog Stats