પ્રથમ વિશ્વયુદ્ધ, રતન તાતા અને ડો. જીવરાજ મહેતા .

September 13, 2007

.
ગુજરાત રાજ્યના   પ્રથમ   મુખ્ય મંત્રી      ડો. જીવરાજ મહેતા.

ડો. જીવરાજ મહેતા પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં જાણીતા ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રુપના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન તાતાના કુટુંબના અંગત તબીબી સલાહકાર હતા.

1916નું વર્ષ. રતન તાતાને સારવાર માટે લંડન, ઇંગ્લેંડ જવાનું હતું.

રતન તાતા સાથે લેડી તાતા, બીજા ત્રણ-ચાર સદસ્યો અને ડો. જીવરાજ મહેતા ઇંગ્લેંડ જાય તેવું નક્કી થયું.

દરિયાઈ માર્ગે ઈંગ્લેંડ જવું સલામત ન હતું. પ્રથમ વિશ્વયુદ્ધની ભયાનકતા સમુદ્રી મુસાફરી જોખમી બનાવતી હતી. ઈંગ્લેંડ જતાં જહાજો પર દુશ્મન જહાજો આક્રમણ કરતા. પણ બીજો રસ્તો ન હતો.

અરબી સમુદ્ર વટાવી તાતાનું બ્રિટીશ જહાજ આગળ વધતું હતું ત્યાં મધદરિયે ટોરપીડોથી હુમલો થયો.  જહાજને ભારે નુકસાન થયું. ક્ષતિગ્રસ્ત જહાજમાં પાણી ભરાતાં બચાવ કાર્યો શરૂ થયાં. લાઈફબોટો ઉતારી પ્રવાસીઓને જહાજ છોડવા વ્યવસ્થા થવા લાગી.

રતન તાતા તથા તેમના ગ્રુપ સાથે ડો. જીવરાજ મહેતા એક આખરી લાઈફબોટમાં બેઠા. જોતજોતામાં જહાજ ડૂબી ગયું.

ઝોલાં ખાતી લાઈફબોટમાં સૌ કલાકો સુધી ભટકતાં રહ્યાં. મધદરિયે ઘૂઘવતાં તોફાની મોજાંઓ અને સૂસવતા પવન વચ્ચે ઝઝૂમવામાં કેવું મક્કમ મનોબળ જોઈએ!

તાતા દંપતિ સાથે ડો. જીવરાજ મહેતા પણ ધીરજ અને હિંમતથી સંજોગોનો સામનો કરતા રહ્યા.

ત્રીસેક કલાકની આકરી કસોટી પછી સૌ માલ્ટા પહોંચ્યા.  ત્યાંથી બીજા જહાજમાં લંડન  ( ઇંગ્લેંડ) પહોંચ્યા.

.

Entry Filed under: વિસરાતી વાતો. .

1 Comment Add your own

  • 1. કુણાલ  |  June 2, 2008 at 3:07 pm

    ohohoh .. aaje aava CM medavavaa hoy to !!!

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


નમસ્કાર

“અનુપમા” પર આપનું સ્વાગત છે. “અનુપમા” પર આપ મુક્તપંચિકા તથા અન્ય પદ્યકૃતિઓ માણશો. સાથે અવનવી વાતો અને વિચારવિનિમય પણ .. .. ... .. .... .. હરીશ દવે ... અમદાવાદ

વિભાગ / સ્તંભ

તાજેતરની પોસ્ટ્સ

આપના પ્રતિભાવ

u.k.parmar on ભાવનગરની શામળદાસ કોલેજ
u.k.parmar on ભારતનાં દેશી રજવાડાં અને સરદાર…
KANTILAL KARSHALA on વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈ…
kiran patel patidar on ભારતનાં દેશી રજવાડાં અને સરદાર…
KANTILAL KARSHALA on ભાવનગરની શામળદાસ કોલેજ
વિશ્વદીપ બારડ on ભાવનગરની શામળદાસ કોલેજ
hina ganatra on મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

મુક્તપંચિકા

Blog Stats